Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Independence Day 2023: આ ક્રાંતિકારી મહિલાએ આઝાદી પહેલા વિદેશમાં લહેરાવ્યો હતો ભારતનો ધ્વજ

Independence Day 2023: બ્રિટિશ શાસનની ગુલામીમાંથી કઠિન સંઘર્ષો અને આંદોલનો બાદ આખરે 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો. દર વર્ષે દેશવાસીઓ ભારતની આઝાદીના આ પર્વને ઉત્સાહથી ઉજવે છે.

સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતના વડા પ્રધાન લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવે છે. સરકારી, બિનસરકારી અને ખાનગી કચેરીઓની સાથે લોકોના ઘરો અને કોલોનીઓમાં પણ ધ્વજવંદન કરવામાં આવે છે. આ પ્રસંગે ભારતની આઝાદી માટે બલિદાન આપનાર બહાદુર સપૂતો અને ક્રાંતિકારીઓને યાદ કરવામાં આવે છે.

Medam Cama

બ્રિટિશ શાસન દરમિયાન અનેક ક્રાંતિકારીઓએ આઝાદીની માંગણી કરીને ભારતનો ધ્વજ ફરકાવ્યો હતો. પરંતુ એક ભારતીય મહિલા ક્રાંતિકારી પણ હતી જેણે આઝાદી પહેલા વિદેશમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. જાણીએ વિદેશમાં ભારતીય ધ્વજ લહેરાવનાર આ ભારતીય મહિલા ક્રાંતિકારી વિશે. ભારતનો પહેલો ધ્વજ કેવો દેખાતો હતો અને ધ્વજનો ઈતિહાસ પણ જાણો.

મેડમ ભીખાજી કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. ભીખાજી કામામાં બાળપણથી જ દેશભક્તિની તીવ્ર ભાવના હતી. દરેક ભારતીયની જેમ ભીખાજી કામાએ પણ દેશને આઝાદ કરવાનું સપનું જોયું હતું.

આ સપનું પૂરું કરવા તે આઝાદીની ચળવળની આગમાં કૂદી પડી. જ્યારે દેશભરમાં લોકો આઝાદીની માંગને લઈને ઉશ્કેરાયા હતા અને વિવિધ સ્થળોએ આંદોલનો અને સત્યાગ્રહો કરી રહ્યા હતા, ત્યારે ભીખાજી કામાએ વિદેશમાં પણ ભારતની આઝાદીની માંગ ઉઠાવી હતી.

1896 માં, જ્યારે મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો, ત્યારે ભીખાજીએ દર્દીઓની સેવા કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તે પોતે પ્લેગની ઝપેટમાં આવી ગઈ હતી. સારવાર બાદ સ્વસ્થ થયા બાદ તે પણ દેશની સેવામાં લાગી ગઈ હતી.

મેડમ ભીખાજી કામા ભારતીય મૂળની પારસી મહિલા હતી. તે સમયગાળા દરમિયાન તેણે લંડનથી જર્મની અને અમેરિકાનો પ્રવાસ કર્યો. આ દરમિયાન ભારતની આઝાદીના પક્ષમાં અવાજ ઘણા દેશો સુધી પહોંચ્યો. ભીખાજી કામા પેરિસથી 'વંદે માતરમ' પત્ર પ્રકાશિત કરતા હતા, જે ભારતીયોમાં ખૂબ લોકપ્રિય હતું.

મેડમ ભીખાજી કામાએ 22 ઓગસ્ટ 1907ના રોજ એટલે કે ભારતની આઝાદીના 40 વર્ષ પહેલા જર્મનીમાં દેશનો ધ્વજ ફરકાવ્યો હતો. તેમણે જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં આયોજિત સાતમી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં ભારતીય ધ્વજ લહેરાવીને સ્વતંત્રતા સંગ્રામની માંગને વધુ તીવ્ર બનાવી. 13 ઓગસ્ટ, 1936ના રોજ ભીખાજી કામાએ આંખોમાં આઝાદીનું સ્વપ્ન લઈને આ દુનિયાને અલવિદા કહ્યું હતુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X