અમદાવાદની અનેક ઇમારતોમાં જળવાયેલાં છે સારાભાઈના સંભારણા
અમદાવાદ, 12 ઑગસ્ટ : ભારતમાં અવકાશ કાર્યક્રમના પ્રણેતા ડૉ. વિક્રમ સારાભાઈની આજે 94મી જન્મ જયંતી છે. તેમણે અવકાશ વિજ્ઞાનને નિત-નવા આયામો આપ્યાં. આજે જે ટેલીફોન, ટેલીવિઝન તથા મોસમ ભવિષ્યવાણી જેવી સુવિધાઓ આપણને ઉપલબ્ધ છે, તેનો શ્રેય સારાભાઈને જ જાય છે.
અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારમાં 12મી ઑગસ્ટ, 1919ના રોજ જન્મેલા સારાભાઈની અનેક સ્મૃતિઓ આજે પણ અમદાવાદની અનેક ઇમારતોમાં જળવાયેલી છે. ડૉ. વિક્રમ સારાભાઈ સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર હોય કે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (પીઆરએલ), અમદાવાદ કપડા ઉદ્યોગ અનુસંધાન સંગઠન (અટીરા) હોય કે ભારતીય પ્રબંધ સંસ્થાન (આઈઆઈએમ). આ તમામ સંસ્થાઓ વિક્રમ સારાભાઈની મહેનત અને લગનની સાક્ષી છે.
પુત્રના લક્ષણ પારણે જ દેખાઈ આવે છે... ગુજરાતીની આ કહેવતને સારાભાઈએ સાચે જ ચરિતાર્થ કરી. જ્યારે તેઓ 8 વર્ષના હતાં, ત્યારથી જ તેમણે સાયકલ ઉપર વિવિધ પ્રકારના પ્રયોગો શરૂ કર્યા હતાં. ગણિત તથા વિજ્ઞાન તેમના સૌથી પ્રિય વિષયો હતાં. ભૌતિક શાસ્ત્રમાં તેમની ખાસ રુચિ હતી. 12-14 વર્ષની વયે તેમણે સ્ટીમ એંજિન બનાવી સૌને માત્ર આશ્ચર્યમાં જ નહોતા મૂક્યાં, પણ તેમની પ્રતિભાનો પરિચય પણ કરાવ્યો હતો.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

આજે છે 94મી જન્મ જયંતી
અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારમાં વિક્રમ સારાભાઈનો 12મી ઑગસ્ટ, 1919ના રોજ જન્મ થયો હતો. આજે તેમની 94મી જન્મ જયંતી છે.

આર્યભટ્ટ
ભારતે 1975માં જ્યારે પ્રથમ અવકાશ ઉપગ્રહ આર્યભટ્ટ છોડ્યું, ત્યારે સમગ્ર દેશ પોતાના વૈજ્ઞાનિકોની સફળતા ઉપર ગદ્-ગદ્ થયો, પણ આ હર્ષ પાછળ મોટો આઘાત પણ હતો. આર્યભટ્ટ પ્રોજેક્ટની પરિકલ્પના ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈએ કરી હતી, પણ જ્યારે આર્યભટ્ટનું પરીક્ષણ કરાયું, ત્યારે આ વિરલ ઘટનાને જોવાનો સૌભાગ્ય સારાભાઈને ન મળ્યો. પોતાના જીવનમાં તેમણે આર્યભટ્ટ જેવા અનેક પ્રોજેક્ટો કાર્યાન્વિત કર્યાં કે જેનો લાભ આજે દેશની પ્રજા ઉઠાવી રહી છે.

અટીરા અમદાવાદ
વિક્રમ સારાભાઈએ કોસ્મિક કિરણો તેમજ પરમાણુ શક્તિ શોધ ક્ષેત્રે પણ નોંધનીય કાર્યો કર્યાં. કોસ્મિક કિરણો પર પ્રયોગ માટે તેમણે હિમાલયના ઊંચા શિખરોની પસંદગી કરી. તેના માટે તેમણે ગુલમર્ગમાં વૈજ્ઞાનિક ઉપકરણોથી સજ્જ પ્રયોગશાળાની સ્થાપના કરી. અભ્યાસ બાદ ઇંગ્લૅન્ડથી ભારત આવી તેમણે વિખ્યાત વૈજ્ઞાનિક સર સી. વી. રમણ સાથે બૅંગલુરૂ ખાતેના ભારતીય વિજ્ઞાન સંસ્થાનમાં કોસ્મિક કિરણો અંગે અભ્યાસ કર્યો. કોસ્મિક કિરણો પર વધુ અભ્યાસ માટે તેઓ બીજી વાર ઇંગ્લૅન્ડની કૅમ્બ્રિજ યુનિવર્સિટી ગયાં. તેમણે 1947માં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી.

આઈઆઈએમ અમદાવાદ
ભારતીય અવકાશ કાર્યક્રમમાં સતત સહયોગ કરનાર અમદાવાદની પીઆરએલની સ્થાપના પણ સારાભાઈએ જ કરી હતી. તેમણે ટાટા ઇંસ્ટીટ્યૂટ ઑફ ફંડામેંટલ રિસર્ચમાં ડૉ. ભાભાના ઉત્તરાધિકારી તરીકે અવકાશ વિજ્ઞાનમાં અનેક નવા આયામ તેમજ કાર્યક્રમોનો સમાવેશ કર્યો. તેમણે ભારતીય અવકાશ શોધ સંગઠન (ઇસરો)ના કાર્યક્ષેત્રનો પણ અનેકવિદ્ ક્ષેત્રે વિકાસ કર્યો.

પીઆરએલ અમદાવાદ
બહુમુખી પ્રતિભાના માલિક વિક્રમ સારાભાઈ વિજ્ઞાન ઉપરાંત પણ અનેક ક્ષેત્રે રસ ધરાવતા હતાં. માત્ર 28 વર્ષની વયે તેમણે કાપડ ક્ષેત્રે શોધ કરનાર અટીરાના સ્થાપના કરી. તે જમાનામાં અમદાવાદનો કાપડ ઉદ્યોગ વિશ્વવિખ્યાત હતો અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા શોધ તથા પ્રશ્નોના નિવારણમાં અટીરાની મહત્વની ભૂમિકા હતી. અમદાવાદના વિશ્વવિખ્યાત આઈઆઈએમની સ્થાપનામાં પણ વિક્રમ સારાભાઈનો મહત્વનો ફાળો રહ્યો.

સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર
પુત્રના લક્ષણ પારણે જ દેખાઈ આવે છે... ગુજરાતીની આ કહેવતને સારાભાઈએ સાચે જ ચરિતાર્થ કરી. જ્યારે તેઓ 8 વર્ષના હતાં, ત્યારથી જ તેમણે સાયકલ ઉપર વિવિધ પ્રકારના પ્રયોગો શરૂ કર્યા હતાં. ગણિત તથા વિજ્ઞાન તેમના સૌથી પ્રિય વિષયો હતાં. ભૌતિક શાસ્ત્રમાં તેમની ખાસ રુચિ હતી. 12-14 વર્ષની વયે તેમણે સ્ટીમ એંજિન બનાવી સૌને માત્ર આશ્ચર્યમાં જ નહોતા મૂક્યાં, પણ તેમની પ્રતિભાનો પરિચય પણ કરાવ્યો હતો.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
