જન્માષ્ટમી: બાલ ગોપાલને સજાવો આવી રીતે
હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. જી હા, ઘણાં દિવસો રાહ જોયા બાદ ભગવાન કૃષ્ણના ભક્તોને નાચવા-ગાવાની અને ખુશી મનાવવાની તક મળી જ ગઈ. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી હિંદુઓનું પર્વ છે, આ દિવસે પાપીઓનો સંહાર કરવાના હેતુથી શ્રી કૃષ્ણ એટલે કે વિષ્ણુ ભગવાન માનવના રૂપમાં ધરતી પર દેવકીના ખોળે જન્મ્યા હતા. આજના દિવસે લોકો ઘરને સાફ કરીને, ઉપવાસ રાખી, ભક્તિમાં લીન થઈને ભગવાનની પાલખીને સજાવે છે.
ઘરમાં પૂજા ઘરને વિવિધ થી્મ સાથે સજાવવામાં આવે છે. જો ઘરમાં નાના બાળકો હોય તો તેમને પણ નાના કૃષ્ણ અથવા તો રાધાના રૂપમાં સજાવવામાં આવે છે. શું તમે જાણો છો કે આ વખતે શ્રી કૃષ્ણનો કેટલામો જન્મદિવસ છે. આ વખતે કૃષ્ણનો 5 હજાર 241મો જન્મદિવસ મનાવવામાં આવશે.
જો તમારા ઘરમાં પણ બાળગોપાલની મૂર્તિ હોય તો તેને જન્માષ્ટમીના પાવન પર્વ પર જરૂરથી સજાવો. આવો જોઈએ શ્રી કૃષ્ણના કેટલાક અનોખા અવતારને અને તેમાંથી જ પસંદ કરીએ કે આ વખતે બાળગોપાલને કેવી રીતે સજાવીશું.

ફુલોથી સજાવટ
મોટાભાગના લોકો ભગવાનની મૂર્તિને વિવિધ ફુલોથી સજાવે છે. તમે સજાવટ માટે હજારીગોટા, ગુલાબના ફુલોનો પ્રયોગ કરી શકો છો.

રંગબેરંગી પડદા
પાછળની દિવાલ ઢાંકવા માટે આપ ચમકદાર અને વિવિધ રંગના પડદાનો ઉપયોગ કરી શકો છો.

સુંગધીદાર હારનો પ્રયોગ
ભગવાનને ફુલોનો હાર ન પહેરાવવામાં આવે તેવું તો બને નહિં. આ માટે તમે સુંગધીદાર ફુલોની માળા બનાવી ભગવાનને પહેરાવી શકો છો.

કૃષ્ણ ભગવાનના ખાસ કપડા
બાલ ગોપાલની સાઈઝના વિવિધ રંગના કપડા ખરીદીને, તેની સાથે આભૂષણો જેમકે ગળાનો હાર, મુગટ, મોરપીંછ, મોરલી વગેરેથી ભગવાનને શણગાર કરી શકાય છે.

સુંદર મુગટ
કૃષ્ણ ભગવાન હંમેશા મુગટ પેહરે છે. અને એટલે જ તેમને સુંદર અને ભારે મુગટ પહેરવવાનું ન ભૂલતા.

મોર પંખ જરૂરી
બાલ કૃષ્ણની મુર્તિને આપ મોર પંખથી પણ સજાવી શકો છો.

ગરમ કપડા
જો આપ વિદેશમાં રહો છો તો બાળ ગોપાલની મુર્તિને વિવિધ રંગના ગરમ કપડાથી પણ સજાવી શકો છો.

ઝૂલો
બાળ ગોપાલને ઝૂલામાં ઝૂલાવતા પહેલા તમે ઝૂલાને પણ ફુલ, રંગબેરંગી કપડા વગેરેથી સજાવી શકો છો.

ગાય
કૃષ્ણજીને ગાય ખુબ જ પ્રિય હતી, તેથી કૃષ્ણજીની મૂર્તિની સાથે માટી, ધાતુ અથવા ચાંદીની બનેલી ગાયને પણ મૂકી શકાય.

લાલ અને પીળુ મેચીંગ
હિંદુ ધર્મમાં પીળા અને લાલ રંગને ખુબ જ શુભ માનવામાં આવે છે. તો તમે પણ ભગવાનને એવા જ રંગોથી સજાવો ખુબ જ સુંદર લાગશે.

ચંદનનું તિલક
શ્રી કૃષ્ણના કપાળે ચંદનનું તિલક કરવાનું ન ભૂલવું જોઈએ.

સિંહાસન
કેટલાક ઘરોમાં શ્રી કૃષ્ણ માટે અલગથી સિંહાસન હોય છે. તેને પણ રંગબેરંગી સુંદર કપડા અને ફુલોથી સજાવી શકાય છે.

તાંબાનું સિંહાસન
બજારમાં વિવિધ પ્રકાર અને સાઈઝના તાંબાના સિંહાસન પણ મળી જશે જેના પર આપ કૃષ્ણજીને બેસાડી શકો છો.

ચમકદાર કપડા
કૃષ્ણજીના કપડા આકર્ષક અને ચમકદાર હોવા જોઈએ. તેમના કપડામાં સ્ટોન અને મોતીનું કામ થઈ શકે છે.

હીરાનો હાર
કેટલાક લોકો પોતાની શ્રદ્ધા અને વ્યવસ્થાને આધારે ભગવાનને હીરાનો હાર પણ પહેરાવે છે.

કૃષ્ણ અને યશોદા
તો શ્રી કૃષ્ણને યશોદાજીની મૂર્તિ સાથે મૂકવાનો આઈડિયા સૌથી સારો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
