દેશ માટે શહીદ થનારા જવાનોને શું સુવિધા મળે છે? વિગતે જાણો તમામ બાબતો
હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં આતંકી સામે બાથ બીડવામાં ભારતીય સેનાના બે ઓફિસર અને જમ્મુ કાશ્મીર પોલીસના 1 ડીએસપી શહીદ થયા છે. આ સ્થિતીમાં એ જાણવુ જરૂરી છે કે દેશ માટે જાન આપનારા આ જવાનોના પરિવાર માટે સરકાર શું કરી રહી છે.
સરહદની રક્ષા કરતા દેશ માટે જવાનો શહીદ થાય છે. આ સ્થિતીમાં શહીદ પરિવારોના દર્દને કોઈ ઈચ્છે તો પણ સમજી શકતું નથી. સરકાર તે પરિવારોને અલગ અલગ રીતે આર્થિક સહાયની ખાતરી આપે છે.

જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીર સરકાર કોઈપણ રાજ્યના સૈનિકના પરિવારને 2 લાખ રૂપિયા આપે છે, જે કાશ્મીરમાં શહીદ થાય છે. શહીદની પત્નીને હવાઈ અને રેલ મુસાફરીના ભાડામાં રાહત મળે છે. આ સિવાય સૈનિકની નોકરી મુજબ પરિવારને ગ્રેચ્યુઇટી, ફંડ અને રજાના પૈસા પણ મળે છે.
આ સિવાય આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા 10,000 રૂપિયા આપવામાં આવે છે. પરિવારને શહીદ સૈનિકના છેલ્લા પગારની બરાબર પેન્શન મળે છે. 30 હજાર રૂપિયા આર્મી સેન્ટ્રલ વેલફેર ફંડ દ્વારા આપવામાં આવે છે.
આ સિવાય શહીદ સૈનિકના પરિવારને કેન્દ્ર સરકાર તરફથી 10 લાખ રૂપિયાની સહાય મળે છે. સરકાર એલપીજી ગેસ એજન્સીઓ અને પેટ્રોલ પંપમાં આઠ ટકા રિઝર્વેશન આપે છે.
આ સિવા શહીદના પરિવારને આર્મી ગ્રુપ ઈન્સ્યોરન્સ તરીકે 25 લાખ રૂપિયા મળે છે અને પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં સીટો પર રિઝર્વેશન મળે છે. પીઆઈબી અનુસાર, એમબીબીએસમાં શહીદ પરિવારો માટે કુલ 42 બેઠકો અનામત છે અને બીડીએસ કોર્સમાં 3 બેઠકો અનામત છે. આ બેઠકો પર માત્ર શહીદોના બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે. આ સિવાય શહીદ પરિવારોની વિધવાઓને ટ્રેન મુસાફરીમાં કન્સેશન માટે કન્સેશન કાર્ડ મળે છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
