શું હોય છે જિનેટીક ક્લોક? જાણો કેવી રીતે સિગરેટ તેનાથી જ તમારી ઉમર ઘટાડે છે?
તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે પહેલાના લોકો 100 વર્ષોથી પણ વધારે જીવતા. જ્યારે હવે લોકો માંડ 60-70 વર્ષ જીવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આમ થવા પાછળનું કારણ માણસની જિનેટીક ક્લોક છે.
આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે માણસે તેની લાઈફ સ્ટાઈલ સાથે ઘણી છેડછાડ કરી છે. જીવનશૈલી પહેલા કરતા ઘણી ખરાબ થઈ ગઈ છે. સિગારેટ પીનારા લોકોનું જીવન ટૂંકું થઈ રહ્યું છે અને આ રિસર્ચમાં સાબિત થયુ છે. સિગારેટના કારણે જિનેટિક ક્લોક માણસની ઉમર ઘટાડી રહી છે.

જિનેટીક કલોક ઘડિયાળ જીવની ઉંમરને અસર કરે છે. જો તે સારી રીતે ચાલી રહી છે તો તમારી ઉંમર મુજબ વધશે એટલે કે તમે મોડા વૃદ્ધ થશો. જો તે ઝડપથી વધશે તો તમારી ઉંમર પણ ઝડપથી વધવા લાગશે. આનો અર્થ એ છે કે તમારી ઉંમર ઓછી હશે પરંતુ તમારા શરીર પર તેની અસર વધુ દેખાશે. સિગારેટ આને અસર કરે છે.
હાંગઝોઉ નોર્મલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ક્લિનિકલ મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સિયુ ડાઈએ યુરોપિયન રેસ્પિરેટરી સોસાયટી ઈન્ટરનેશનલ કોંગ્રેસમાં એક રિસર્ચ રજૂ કર્યું છે. આ રિસર્ચ અહેવાલ સ્પષ્ટપણે સાબિત કરી રહ્યો હતો કે સિગારેટ લ્યુકોસાઇટ ટેલોમેરેસની લંબાઈને કેવી રીતે અસર કરે છે.
જણાવી દઈએ કે, લ્યુકોસાઈટ ટેલોમેર આપણી વૃદ્ધત્વ પ્રક્રિયાને પ્રતિબિંબિત કરે છે, જ્યારે સિગારેટ પીવાને કારણે તેની લંબાઈ ઘટી જાય છે ત્યારે વૃદ્ધત્વની અસર આપણા શરીર પર વધુ જોવા મળે છે.
વૈજ્ઞાનિકોએ 472174 લોકો પર આ સંશોધન કર્યું. વૈજ્ઞાનિકોએ યુકે બાયોબેંકના આરોગ્ય અને આનુવંશિક ડેટાનું વિશ્લેષણ કર્યું અને પછી સિગારેટ આપણી જિનેટીક કેવી રીતે અસર કરે છે તેના નિષ્કર્ષ પર આવ્યા. વૈજ્ઞાનિકોને આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે તેમના લ્યુકોસાઈટ ટેલોમેરેસની લંબાઈ ધૂમ્રપાન ન કરતા લોકો કરતા ઓછી વધે છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
