ધરતી પર પાણી ક્યાંથી આવ્યુ? જાણો દરિયાનું પાણી ખારૂ કેમ છે?
આ દુનિયામાં માણસ સહિત તમામ પશુ-પક્ષીઓના જીવનનો સૌથી સહારો પાણી છે. પાણી વગર જીવોનું અસ્તિત્વ શક્ય નથી. આ સ્થિતીમાં સૌથી મોટો સવાલ એ છે કે પૃથ્વી પર પાણી આવ્યુ કેવી રીતે?
મહાસાગરોથી ઘેરાયેલી પૃથ્વી પર સૌથી મોટો સવાલ એ છે કે આ પાણી ક્યાંથી આવ્યુ અને દરિયાનું પાણી ખારું કેમ છે? આ તમામ સવાલોના અમે તમને વિગતે જવાબ આપવાના છીએ.

જણાવી દઈએ કે, વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આપણી આકાશગંગામાં ઘણા એસ્ટરોઇડ છે જેમાં પુષ્કળ પાણી છે. આ પાણી ગ્રહોને પાણી પૂરું પાડે છે અને જીવન ટકાવી રાખે છે.
બ્રિટનની વોરિક યુનિવર્સિટીના સંશોધક રોબર્ટો રેડીનું કહેવું છે કે, અમારા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે પ્રકારના વધારાના પાણીની વાત કરવામાં આવી રહી છે તે પ્રકારના એસ્ટરોઇડ્સ આપણા સૌરમંડળમાં મોટી સંખ્યામાં જોવા મળે છે.
તેમણે કહ્યું કે, અગાઉ પૃથ્વી ખૂબ જ સૂકી રહી અને ઉજ્જડ હશે. તે વધુ પાણી ધરાવતા એસ્ટરોઇડ સાથે અથડાઈ હશે અને તેનું પાણી પૃથ્વી પર આવી ગયુ હશે.
દરિયાનું પાણી ખારૂ કેમ હોય છે એ સવાલનો જવાબ સમજીએ તો જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદનું પાણી હવામાં હાજર કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા વાયુઓના સંપર્કમાં આવે છે, આ વાયુઓ પાણીમાં ભળી જાય છે. આ કારણે વરસાદનું પાણી થોડું એસિડિક એટલે કે ખારું થઈ જાય છે.
આ પાણી જમીન, પહાડો અને ખડકો પર પડે છે ત્યારે તે તેમાં રહેલા ક્ષાર શોષી લે છે. જ્યારે આ પાણી સપાટી પર નદીઓમાં પહોંચે છે ત્યારે આ ક્ષાર નદીઓમાંથી પણ વહે છે પરંતુ આ ક્ષાર એટલા ઓછા છે કે આપણને નદીઓનું પાણી મીઠું લાગે છે.












Click it and Unblock the Notifications
