મહાશિવરાત્રી 2019: કેમ શિવજીને ભાંગ અને ધતુરો ચઢાવવામાં આવે છે
ભગવાન શિવને ભોલનાથ કહેવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ એટલા ભોળા છે કે તેમને ધતુરો અને ભાંગ જેવા ઝેરી અને નશીલા પદાર્થો ચડાવી મનાવવામાં આવે છે.
ભગવાન શિવને ભોલનાથ કહેવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ એટલા ભોળા છે કે તેમને ધતુરો અને ભાંગ જેવા ઝેરી અને નશીલા પદાર્થો ચડાવી મનાવવામાં આવે છે. ભગવાન શિવ તો ભક્તો દ્વારા ચઢાવેલા એક લોટા પાણીથી પણ ખુશ થઇ છે. આ જ કારણ છે કે શિવ ભક્તો મહાશિવરાત્રીના તહેવાર પર ધતૂરાથી અને ભાંગથી ભગવાન શિવની પૂજા જરૂર કરે છે. મહાશિવરાત્રિના પર્વ પર ભગવાન શિવ સાથે ધતૂરા અને ભાંગનો આધ્યાત્મિક સંબંધ જાણીએ.

શિવ પુરાણ અનુસાર
શિવ મહાપુરાણમાં ભગવાન શિવજીને નિલકંઠ કહેવામાં આવ્યા છે, કારણ કે સાગર મંથનના સમયે ભગવાન ભોલેનાથએ સાગર મંથનથી ઉત્પન્ન થયેલ ઝેર પીને સૃષ્ટિને નાશ થતી બચાવી હતી. પરંતુ વિષપાનથી ભગવાન શિવજીનું ગળું વાદળી થઇ ગયું હતું. કારણ કે તેમણે ઝેરને તેમના ગળા માંથી નીચે ઉતારવા દીધું નહોતું. જેના કારણે ઝેર શિવજીના મસ્તિષ્ક પર ચઢી ગયું અને ભોલેનાથ અચેતન થઇ ગયા. આવી સ્થિતિમાં,દેવતાઓ માટે ભગવાન શિવજીને ચેતનામાં લાવવું એક મોટી ચુનોતી બની ગઈ હતી. દેવી ભાગવત પુરાણમાં, એવું કહેવામાં આવે છે કે આ સ્થિતિમાં આદિ શક્તિ પ્રકટ થઇ અને ભગવાન શિવજીની સારવાર જડીબુટ્ટીઓ અને પાણી દ્વારા કરવા કહ્યું. ભગવાન શિવના માથાથી ગરમી દૂર કરવા માટે દેવોએ ભગવાન શિવના માથા પર ધતુરો, ભાંગ મૂકી અને નિરંતર જલાભિષેક કર્યો. આનાથી ઝેર શિવના માથાથી દૂર થઈ ગયું. ત્યારબાદથી અત્યાર સુધી ભગવાન શિવજીને ધતુરો, ભાંગ અને પાણી ચઢાવવામાં આવે છે.

આયુર્વેદમાં ભાંગ, ધતૂરો અને પાણીનું મહત્વ
આયુર્વેદમાં ભાંગ અને ધતૂરાનો ઉપયોગ ઔષધિ તરીકે થાય છે. ગ્રંથોમાં બીલીના ત્રણ પાનને રજ, સત્વ અને તમોગુણનું પ્રતીક માનવામાં આવે છે અને સાથે તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક માનવામાં આવે છે, તેથી બીલીપત્રનો ઉપયોગ ભગવાન શિવની પૂજામાં કરવામાં આવે છે.

વિષપાનથી આપ્યો આ સંદેશ
શિવજીએ વિષપાન કરી વિશ્વને પરોપકાર, ઉદારતા અને સહનશીલતાનો સંદેશ આપ્યો. શિવ પૂજામાં ધતુરા જેવા ઝેરી ફળ ચડાવવા પાછળ પણ ભાવ એ છે કે વ્યક્તિગત, કુટુંબ અને સામાજિક જીવનમાં કઠોર વર્તન અને વાણીને ટાળો. સ્વાર્થની ભાવના ન રાખવી અને બીજાના હિતનો ભાવ રાખો. ત્યારે આપણી સાથે બીજાનું જીવન સુખી થઇ શકે છે.

ભાંગથી મગજ શાંત રહે
કેટલીક માન્યતાઓ અનુસાર કહેવામાં આવે છે કે ભગવાનને ભાંગ એટલા માટે ચડાવામાં છે કારણકે ભાંગ ઠંડી હોય છે અને શિવજીનો ગુસ્સો ખૂબ જ તેજ હોય છે, તેથી તે તેમના ગુસ્સાને ઠંડો કરવા માટે ભાંગનો ઉપયોગ કરે છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
