For Quick Alerts
For Daily Alerts
પત્ની હંમેશા પોતાના પતિથી છૂપાવે છે આ ખાસ વાતો, જાણો એ રહસ્ય અને કારણ
ચાણક્ય નીતિ મુજબ દરેક પત્ની જાણીજોઈને પોતાના પતિથી કેટલીક વાતો છુપાવે છે. જાણો કારણ.
નવી દિલ્લીઃ આચાર્ય ચાણક્યએ કૂટનીતિ, અર્થશાસ્ત્ર, રાજનીતિ ઉપરાંત વ્યવહારિક જીવન સાથે જોડાયેલી ઘણી વાતો કહી છે. તેમાં પતિ-પત્નીના સંબંધો સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતોનો પણ સમાવેશ થાય છે અને તે આજના સમયમાં પણ પ્રાસંગિક છે. ચાણક્ય નીતિ મુજબ દરેક પત્ની જાણીજોઈને પોતાના પતિથી કેટલીક વાતો છુપાવે છે. તે આ રહસ્ય ક્યારેય તેના પતિને કહેતી નથી અને તે પતિ-પત્ની વચ્ચેના સંબંધોને મજબૂત કરવા, સારા ભવિષ્ય માટે આવુ કરે છે. જેથી પતિ-પત્ની સુખી દામ્પત્ય જીવન જીવી શકે.
- દરેક પત્ની પોતાના પતિથી લગ્ન પહેલાની લવ લાઈફ છૂપાવે છે. તેણી આખી જીંદગી તેને ગુપ્ત રાખે છે જેથી તેમનુ લગ્ન જીવન કોઈ શંકાના દાયરામાં ન રહે અને તેઓ ખુશીથી જીવી શકે.
- ઘણી વખત પત્ની ઈચ્છા વગર પણ પતિના દરેક નિર્ણયને સમર્થન આપે છે. પતિ ખુશ રહે અને ઘરમાં કોઈ વિવાદ ન થાય તે માટે તે ખુલ્લેઆમ પોતાનો અસંમતિ વ્યક્ત કરતી નથી.
- પત્ની ઘરના સભ્યોની ખોટી વાતો પણ પતિથી છુપાવે છે જેથી ઘરમાં ઝઘડો ન થાય. તે ઘરની શાંતિને ખલેલ પહોંચાડવાથી બચાવે છે અને પોતાના સ્તરે બાબતોને સંભાળે છે.
- પત્નીને ઘરની ગૃહમંત્રી કહેવામાં આવે છે. તે નિશ્ચિત બજેટમાં ઘર ચલાવે છે અને તમામ સભ્યોની જરૂરિયાતોનુ ધ્યાન રાખે છે. આટલુ કર્યા પછી પણ તે મુશ્કેલ સમય માટે કેટલાક પૈસા બચાવે છે. પત્ની ક્યારેય પતિને તેની બચત વિશે કહેતી નથી પરંતુ જ્યારે પરિવાર પર આફત આવે છે ત્યારે તે આગળ આવે છે અને પરિસ્થિતિને સંભાળવામાં મદદ કરે છે.
- પત્ની તેની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છૂપાવે છે જેથી પતિ તેના કારણે પરેશાન ન થાય. જ્યાં સુધી તે સહન કરવા સક્ષમ છે ત્યાં સુધી તે ક્યારેય તેના પતિને તેની બીમારી કે પીડા વિશે કહેતી નથી.
Comments
English summary
Wife hide these things from husbands to save good relations
Story first published: Monday, September 19, 2022, 12:29 [IST]