World Blood Donor Day: રક્તદાનથી થાય છે આરોગ્યને આ 5 મોટા ફાયદા
શું તમને ખબર છે કે રક્તદાનથી તમે માત્ર બીજાની જિંદગી નથી બચાવતા પરંતુ તમારા આરોગ્યને પણ આનાથી લાભ થાય છે. આવો જાણીએ રક્તદાનથી થતા આરોગ્ય લાભ વિશે...
નવી દિલ્લીઃ રક્તદાન માટે લોકોને પ્રેરણા આપવા માટે દર વર્ષે 14 જૂને આંતરરાષ્ટ્રીય રક્તદાન દિવસ મનાવવામાં આવે છે. આ અભિયાન દ્વારા જરુરિયાતમંદ લોકો માટે સુરક્ષિત લોહી પૂરુ પાડવામાં આવે છે. જે દર્દીઓને લોહીની જરુર હોય તેમને રક્તદાન દ્વારા તેમના સુધી પહોંચાડવામાં આવે છે. એવામાં આજે આંતરરાષ્ટ્રીય રક્તદાન દિવસના પ્રસંગે અમે એ તમામ લોકોનો આભાર માનવા માંગીએ છીએ જે રક્તદાન કરે છે અને લોકોની જિંદગી બચાવવામાં મદદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે રક્તદાનથી તમે માત્ર બીજાની જિંદગી નથી બચાવતા પરંતુ તમારા આરોગ્યને પણ આનાથી લાભ થાય છે. આવો જાણીએ રક્તદાનથી થતા આરોગ્ય લાભ વિશે...

વજન ઘટાડવામાં મદદરુપ
જો તમે સમયાંતરે રક્તદાન કરતા રહો છો તો તે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમજ પુખ્ત વયના લોકોની ફિટનેસમાં સુધારો કરે છે. જો કે, સલાહ એ છે કે રક્તદાનને વજન ઘટાડવાના વિકલ્પ તરીકે ન જોવુ જોઈએ. આ માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. રક્તદાન કરતા પહેલા જો તમને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

હીમોક્રોમેટોસિસથી બચાવ
રક્તદાન કરીને તમે ઘણા રોગોના જોખમને ઘટાડી શકો છો. તમે તમારા શરીરમાં હિમોક્રોમેટોસિસને અટકાવી શકો છો. જો શરીરમાં હિમોક્રોમેટોસિસ વધે તો તમારા આયર્નનો વપરાશ વધે છે. તેથી રક્તદાન કરતા પહેલા તમારે આ બાબતોનુ ધ્યાન રાખવુ જોઈએ.

હ્રદયરોગનુ જોખમ ઘટે
નિયમિત સમયાંતરે રક્તદાન કરીને તમે હાર્ટ એટેકનુ જોખમ ઘટાડી શકો છો. રક્તદાન કરવાથી તમારા શરીરમાં આયર્નનુ સ્તર ઘટે છે જેનાથી હૃદય રોગનુ જોખમ ઓછુ થાય છે. જો શરીરમાં આયર્નની વધુ માત્રા હોય તો તે તમારા હૃદયને નુકસાન પહોંચાડે છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો રહે છે.

કેન્સરનુ જોખમ ઘટે
જ્યારે શરીરમાં આયર્નની માત્રા વધુ હોય છે ત્યારે તે તમારા હૃદયની સાથે કેન્સરનુ જોખમ વધારે છે. આવી સ્થિતિમાં રક્તદાન દ્વારા તમે તમારા લોહીમાં હાજર આયર્નના સ્તરને ઘટાડી શકો છો. આના દ્વારા તમે ન માત્ર હાર્ટ એટેકનુ જોખમ ઘટાડી શકો છો પણ કેન્સરના જોખમને પણ ટાળી શકો છો.

નવી રક્ત કોશિકાઓનુ નિર્માણ
રક્તદાન કરવાથી તમારા શરીરમાં નવા રક્તકણો બને છે. આવી સ્થિતિમાં જ્યારે નવા રક્તકણો બને છે ત્યારે તમારા શરીરની અંદર લાલ રક્તકણોની ઉણપ પૂર્ણ થાય છે અને નવા લાલ રક્તકણો બને છે. રક્તદાન કર્યાના 30-60 દિવસમાં નવા લાલ રક્તકણો શરીરમાં આવે છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
