ડિપ્રેશનથી બચવુ હોય તો, ખાવ 11 ખોરાક
તણાવ, ચિંતા, વ્યક્તિગત અને નાણાંકીય સમસ્યાઓના કારણે માણસ ઘણી વખત ડીપ્રેશનમાં આવી જતો હોય છે. આ બિમારીના કેટલાક લક્ષણ પણ હોય છે. જેમકે અચાનક વજન વધી જવુ અથવા ઘટી જવુ, અનિદ્રા અથવા વધુ ઉંઘ આવવી, વ્યક્તિગત જીવનમાં રસ ઓછો થઇ જવો, મનમાં વારંવાર આત્મહત્યાના વિચાર આવવા અને નિયમીત કામો ના કરી શકવા જેવા અનેક લક્ષણો ડિપ્રેશનમાં જોવા મળે છે.
આવા લક્ષણો જે વ્યક્તિઓમાં જોવા મળે છે, તે વ્યક્તિઓ દર્દનાક અને ખુબ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યાં હોય છે. પરંતુ હવે ગભરાવવાની જરૂર નથી. જ્યારે પણ આવો મુશ્કેલીભર્યો સમય હોય ત્યારે ધીરજ અને કુશળતાથી આ સમયને પણ પસાર કરી શકાય છે.
આ કારણે જ આજે વનઇન્ડિયા આપને એવા કેટલાક ખાદ્ય પદાર્થો અંગે જણાવી રહ્યું છેકે જે તમને ડિપ્રેશનથી લડવામાં મદદરૂપ થઇ શકે છે.

ઓમેગા-3 ફેટી એસિડ
જ્યારે પણ તમે આવી પરિસ્થિતીનો સામનો કરો ત્યારે તમારા ખોરાકમાં ઓમેગા-3 ફેટી એસિડની માત્રા વધારી દો. જેમકે માછલી અને અખરોટ.

પાલક
પાલક પણ ઘણી ગુણકારી બની શકે છે. કારણ કે પાલકમાં આયરન અને મેગ્નેશિયમ હોય છે. જે દિમાગને શાંત અને પાચનતંત્રને મજબૂત બનાવે છે.

બદામ
મેગ્નેશિયમનો સૌથી સારો સ્રોત બદામમાં હોય છે. જે ડિપ્રેશન સામે લડવામાં મદદરૂપ થઇ શકે છે.

ટમેટા
ટમેટા ખાવાથી તમારો મૂડ બહુ સારો રહે છે. ટમેટામાં લઇકોપીન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે.

એવોકાડો
એવોકાડોમાં પણ ઓમેગા-3 અને ફોલેટની માત્રા મોટા પ્રમાણમાં હોય છે. ઉપરાંત તેમા પોટેશિયમ અને મોનોઅનસેચુરેટેડ ફેટ હોય છે. જે ભાવનાઓને કાબુમાં રાખવામાં મદદરૂપ થાય છે.

ગ્રીન ટી
ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ અને એમિનો એસિડની માત્રા સારા પ્રમાણમાં હોય છે. ગ્રીન ટી ડિપ્રશેનમાં દવાની જેમ મદદ કરે છે.

બ્લુ બેરી (જાંબુ)
બ્લુ બેરીમાં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે. તેમજ તેમા ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે.

અનાજ
આપણે સૌ જાણીએ છીએ કે અનાજ આપણા શરીર માટે કેટલુ ફાયદાકારક છે. ધાન્યોમાં કાર્બોહાઇડ્રેટ સારી માત્રામાં હોવાથી મૂડ સ્વીંગની પરેશાનીથી રોકે છે.

નારીયેળ
નારિયેળમાં ફાયબર, આર્યન, પોટેશિયમ, પ્રોટીન, વિટામીન સી, વિટામીન બી, અને સેચુરેટેડ ફેટ હોય છે. તેમજ તેમા શક્તિશાળી ઇલેક્ટ્રોલાઇટ્સ પણ હોય છે.

ઇંડા
પોષક તત્વોની ખામીના કારણે કામ કરવાની શક્તિ ઓછી થઇ જાય છે, અને થાક જલ્દી લાગે છે. ઇંડા તમારા એનર્જી લેવલને જાળવી રાખે છે.

સ્કિમ મિલ્ક
દુધ સંપૂર્ણ આહાર છે. દરેક ઘરમાં આસાનીથી મળી રહે છે. નિયમીત રીતે દૂધનું સેવન ઘણાં રોગોથી દૂર રાખી શકે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
