જમ્યા પછી તરત પીઓ છો પાણી તો થઈ જાઓ સાવધાન, ગેરફાયદા જાણીને હોશ ઉડી જશે!
પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય નિષ્ણાતો દરરોજ 3-4 લિટર પાણી પીવાની ભલામણ કરે છે.
પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય નિષ્ણાતો દરરોજ 3-4 લિટર પાણી પીવાની ભલામણ કરે છે. તબીબોના મતે જમતી વખતે પાણી પીવાનું ટાળવું જોઈએ, જમ્યા પછી કે તરત જ પાણી પીવાથી એસિડિટી, પેટનું ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે. જે લોકો ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવે છે તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
જમ્યા પછી કેટલા સમય સુધી પાણી ન પીવું જોઈએ?
આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે ખોરાક પચવામાં લગભગ 2 કલાકનો સમય લાગે છે, આ દરમિયાન પાણી પીવાથી પાચનક્રિયા પર અસર પડે છે. એટલા માટે તમારે ખોરાક ખાધા પછી 45-60 મિનિટ પછી પાણી પીવું જોઈએ. એ પણ ધ્યાનમાં રાખો કે જમ્યાના અડધા કલાક પહેલા પાણી પીવો.
યોગ્ય સમયે પાણી પીવાના ફાયદા
ભોજન કર્યાના એક કલાક પછી પાણી પીવાથી વજન નિયંત્રણમાં રહે છે. યોગ્ય સમયે પાણી પીવાથી પાચનક્રિયા બરાબર રહે છે, પાચનતંત્ર મજબૂત રહે છે. પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યા નથી થતી. શરીર ખોરાકમાં રહેલા પોષક તત્વોને સારી રીતે શોષી લે છે. યોગ્ય સમયે પાણી પીવાથી પણ સારી ઊંઘ આવે છે.
ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાના ગેરફાયદા
જમ્યા બાદ તરત પાણી પીવાનથી સ્થૂળતાની સમસ્યા, પાચન સમસ્યાઓ, હાઈ બ્લડ સુગર લેવલની સમસ્યા અને પેટમાં ગેસની સમસ્યા થાય છે.