શું ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે?
લોકોને કોરોના કાળમાં ખાન-પાનની વસ્તુઓ માટે પણ ઘણા પ્રકારના મિથ છે. એક આવી જ ભ્રાંતિ છે કે ચા પીવાથી ઈમ્યુનિટી પર અસર પડે છે. વાંચો હકીકત.
કોરોના વાયરસે આખી દુનિયા પર કહેર વરસાવ્યો છે. કોરોનાથી આખી દુનિયામાં 4.5થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં પણ કોરોનાથી 12 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ડૉક્ટરોની માનીએ તો કોરોના એ લોકો પર વધુ અસર નથી કરી શકતો જેમની રોગપ્રતિકારક શક્તિ સારી છે. આના કારણે ભારત સરકારના આયુષ મંત્રાલય સતત લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવાના નુસ્ખા શેર કરી રહી છે. આ દરમિયાન લોકોને કોરોના કાળમાં ખાન-પાનની વસ્તુઓ માટે પણ ઘણા પ્રકારના મિથ છે. એક આવી જ ભ્રાંતિ છે કે ચા પીવાથી ઈમ્યુનિટી પર અસર પડે છે.

ઈમ્યુનિટી પર ચા શું અસર કરે છે?
આ વિશે મૌલાના આઝાદ મેડિકલ કોલેજ નવી દિલ્લીના કોરોના પર વિશેષજ્ઞ ડૉક્ટર નરેશ ગુપ્તાએ જણાવ્યુ કે ઈમ્યુનિટી એટલી નબળી નથી હોતી કે ચા પીવાથી ઘટી જાય. ઈમ્યુનિટી શરીરની અંદર એક વસ્તુ હોય છે જે ઘણી મજબૂત હોય છે. આને ઈનનેટ ઈમ્યુનિટી કહે છે. સંતુલિત આહાર અને પોતાની દિનચર્યા બનાવીને પૌષ્ટિક વસ્તુઓ ખાવાથી એડેપ્ટેડ ઈમ્યુનિટી વધે છે. આ સાથે જ શારીરિક વ્યાયામ અને અભ્યાસ કરતા રહેવુ જોઈએ. આનાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે.

ચા ઈમ્યુનિટી ઘટાડતી નથી પરંતુ વધારે છે
તેમણે આગળ કહ્યુ કે લોકો ધૂમ્રપાન જેવી વસ્તુઓથી દૂર રહે. તે બધા લોકોની ઈમ્યુનિટી પર અસર કરે છે. આ તરફ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ફાર્માસ્યુટિકલ્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ(નાઈપર)એ એવી ચા તૈયાર કરી છે જે કોવિડ 19થી લડવા માટે સૌથી જરૂરી કામ કરશે એટલે કે ઈમ્યુનિટી વધારશે. આ ઉપરાંત કોવિડ 1 એટલે કે સાર્સ પર 2003માં મુલેઠીને સફળ ગણવામાં આવી છે.

શરીર માટે ફાયદાકારક છે ચા
હાલમાં જ અલગ અલગ સંસ્થાઓ દ્વારા રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે કરવામાં આવેલ રિસર્ચ સામે આવ્યા છે. જેમાં સામે આવ્યુ કે આસામના બગીચાઓનીચા કોરોનાથી લડવા માટે શરીરને જરૂરી ઈમ્યુનિટી આપે છે કારણકે આ ચામાં થિફ્લેવિન્સ નામનુ તત્વ હાજર હોય છે જે ઈન્ફ્લુએન્ઝા અને શ્વસનતંત્રને લગતા રોગોથી બચવા માટે આપણા શરીરની મદદ કરે છે.
PM મોદીએ કર્યુ સ્પષ્ટઃ કોઈ પણ કિંમતે નહિ બદલવામાં આવે LACની સ્થિતિ
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
