Brain Health Tips : શરીરની જેમ મગજને પણ કરવું પડે છે ડિટોક્સ, આ પાંચ રીતે કરો મગજની સફાઇ
આપણા મગજ વિચારો અને ભાવનાઓના પ્રોસસ કરવા માટે સતત કર્યરત રહે છે. સમય સાથે સાથે આ પ્રક્રિયાને કારણે ખરાબ વસ્તુ (ડિટોક્સ)નું પણ સર્જન થઇ શકે છે.
Brain Health Tips : આપણા શરીર સતત એવી વસ્તુ પ્રોસેર કરી રહ્યું હોય છે, જે આપણે ખાઇએ-પીવી છીએ. આ સાથે સાથે આપણા મગજ વિચારો અને ભાવનાઓના પ્રોસસ કરવા માટે સતત કર્યરત રહે છે. સમય સાથે સાથે આ પ્રક્રિયાને કારણે ખરાબ વસ્તુ (ડિટોક્સ)નું પણ સર્જન થઇ શકે છે. ડિટોક્સ શરીર અને મગજને ધીમુ કરી શકે છે.
મન કેવી રીતે સાફ કરશો?
આપણે આપણા શરીર અને મનને નિયમિતપણે સાફ કરવાની જરૂર છે. તે તેમને રિકવરી કરવામાં, રિચાર્જ કરવામાં અને તેમની સામાન્ય પ્રવૃત્તિઓ પર પાછા ફરવામાં મદદ કરે છે. આજે આપણે જાણીશું કે, આપણે આપણા મનને કેવી રીતે સાફ કરી શકો છો.
1. અનફોલો કરવાનું શરૂ કરો
એવા લોકોને અનફોલો કરો જે તમને સશક્ત, જાણકાર અથવા પ્રેરિત જણાતા નથી
2. લખવાનું શરૂ કરો
તમારા મગજમાં જે હોય છે, તેને ક્યારેક બહાર કાઢવાની જરૂર છે. 30 મિનિટ માટે એક સમય ફાળવવાનો પ્રયાસ કરો અને તમે જેનીફરિયાદ કરવા માંગો છો અથવા તમે જે પડકારોનો સામનો કરી રહ્યાં છો, તે બધી બાબતોને મગજમાંથી કાગળ પર ડમ્પ કરો.
તેમને જવા દો અને તમારા મનને તે ત્રાસદાયક ચિંતાઓથી દૂર કરો. તેને એક કાગળ પર લખીને ભૂલી જાવ.
3. તમારી જાતને સવાલ કરો
- શું મારા જીવનમાં એવો કોઈ સંબંધ છે, જે સમાપ્ત થઈ ગયો છે, તેમ છતાં પણ મે તેને પકડીને રાખ્યો છે?
- જે વસ્તુઓ હવે કામ કરતી નથી, તેને દૂર કરીને હું મારા જીવનના કયા પાસાઓને સુધારી શકું?
4. ધ્યાન કરો (મેડિટેશન)
ધ્યાન દરમિયાન તમે તમારું ધ્યાન કેન્દ્રીત કરો છો, જેનાથી તમારી આસપાસ તણાવનું કારણ બનતા અનિયંત્રિત વિચારોને દૂર થાય છે. આ પ્રક્રિયાના પરિણામે ભાવનાત્મક, બૌદ્ધિક, શારીરિક અને આધ્યાત્મિક સુખાકારી વિચારોમાં વધારો થશે અને તમારી ક્ષમતાઓ પણ વધશે.
5. સ્વીકાર કરવાથી મળે છે શાંતિ
તમે ગમે તેટલી ચિંતા કરો, તમારું ભવિષ્ય બદલાશે નહીં. તમને ગમે તેટલો અફસોસ થશે, પણ તમારો ભૂતકાળ બદલાશે નહીં.
તેનેસ્વીકારવાથી જ તમને શાંતિ મળશે. તેથી અપૂર્ણ, અનિશ્ચિત અને અનિયંત્રિતતાને સ્વીકાર કરો.
તમારે કંઈક સમજવાની, સહન કરવાની કે ભૂલી જવાની જરૂર નથી. જો તમારે શાંતિ જોઈતી હોય, તો તમારે તેને સ્વીકારવી પડશે.