રાત્રે સૂતા પહેલા નાભિ પર લગાવો થોડી હળદર, મળશે આ 5 અદ્ભુત ફાયદા
નાભિ પર હળદર લગાવવાથી તમને અનેક રીતે ફાયદો થાય છે. હળદરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા અનેક તત્વો હોય છે. આ સિવાય હળદરમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે પાચનને સુધારે છે.
નાભિ પર હળદર લગાવવાથી તમને અનેક રીતે ફાયદો થાય છે. હળદરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા અનેક તત્વો હોય છે. આ સિવાય હળદરમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે પાચનને સુધારે છે. નાભિ પર હળદરની પેસ્ટ લગાવવાથી તમને ત્વચાની ઘણી સમસ્યાઓથી પણ બચાવે છે.
પાચનમાં કરે છે મદદ
હળદર લગાવવાથી પાચનતંત્રને યોગ્ય રાખવામાં મદદ મળે છે. હળદરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેને ખાવાથી અને લગાવવાથી તમને ફાયદો થશે.
ફાઈબરએ ખોરાકના પાચન માટે આવશ્યક તત્વ છે. તેનાથી પેટમાં દુઃખાવો કે અપચો થતો નથી.
માસિક દરમિયાન થતી પીડામાંથી રાહત
પીરિયડ્સ દરમિયાન દુઃખાવો અને પેટમાં ખેંચાણની સમસ્યામાં પણ હળદરનું સેવન કરવાથી ફાયદો થશે. તેનાથી પીરિયડ્સ દરમિયાન થતા દુઃખાવામાં રાહત મળશે.
સંક્રમણ સામે રક્ષણ
હળદરમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. નાભિ પર હળદર અને સરસવનું તેલ લગાવો, આ શિયાળાની ઋતુમાં બેક્ટેરિયલ અને વાઇરલઇન્ફેક્શનથી બચશે.
પેટ પરના સોજામાં આપે છે રાહત
જો અપચો અથવા કબજિયાતને કારણે પેટમાં દુઃખાવો અથવા પેટનું ફૂલવુંની સમસ્યા હોય તો તમે નાભિ પર હળદર અને નારિયેળનું તેલ પણ લગાવી શકો છો.તેનાથી તમને સોજામાંથી પણ રાહત મળશે.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે
હળદરમાં ઘણા એન્ટીઓકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. રાત્રે નાભિ પર હળદર લગાવીને સૂઈ જાઓ. આવજન ઘટાડવામાં પણ મદદ કરશે.
રાત્રે સૂતા પહેલા હળદર લગાવી શા માટે જરૂરી?
નાભિ પર હળદર લગાવ્યા બાદ થોડો સમય આરામ કરો. તેનાથી શરીર હળદરના ગુણોને શોષી શકશે. આ જ કારણ છે કે, રાત્રે સૂતા પહેલા હળદર લગાવવાની સલાહઆપવામાં આવે છે.
નાભિ પર સરસવ અથવા નારિયેળના તેલ સાથે હળદર લગાવો. આ સાથે હળદરના ગુણ ત્વચા પર અસરકારક રીતે કામ કરશે.