સરકારે 11.44 લાખ પાનકાર્ડ કર્યા છે રદ્દ, જાણો તમારુ પાનકાર્ડ વેલિડ છે?
સરકારે મોટી સંખ્યામાં પાનકાર્ડને રદ્દ કર્યા છે. ત્યારે જો તમને પણ લાગે છે કે તમારું પાનકાર્ડ વેલિડ છે કે નહીં. તો અહીં સરળ સ્ટેપમાં ગુજરાતીમાં શીખો પાનકાર્ડની વેલિડિટી ચેક કરવાનું.
કેન્દ્ર સરકારે દેશભરના 11.44 લાખ જેટલા પાનકાર્ડ કેન્સલ કર્યા છે. આમાંથી કેટલાકને નિષ્ક્રીય કરવામાં આવ્યા છે તો કેટલાકને રદ્દ. નાણાંના રાજ્યમંત્રી સંતોષ કુમાર ગંગવારે દિલ્હીની સંસદમાં જાણકારી આપી હતી કે જે લોકોની પાસે એકથી વધુ પાનકાર્ડ છે તેમના પાનકાર્ડને કેન્સલ કે નિષ્ક્રીય કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે સરકારે 27 જુલાઇ સુધી 11,44,211 પાનકાર્ડ રદ્દ કર્યા છે. તેવામાં જો તમારે જાણવું હોય કે તમારું પાનકાર્ડ એક્ટિવ છે કે નહીં તો નીચે અમે સરળ રીતે આ અંગે જાણકારી આપી છે. જે દ્વારા તમે તમારા પાનકાર્ડની વેલિડિટી તપાસી શકો છો...

આ લિંક પર કરો ક્લિક
જો તમે જાણવા માંગતા હોવ કે તમારું પાનકાર્ડ એક્ટિવ છે કે નહીં તો તમારે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર ક્લિક કરવું પડશે. http://incometaxindiaefiling.gov.in/ જગ્યાએ ક્લિક કરીને તમને નીચેના સ્ટેપને ફોલો કરીને તમારું પાનકાર્ડ એક્ટિવ છે કે નહીં તે જાણી શકો છો.

પાનકાર્ડ
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર ક્લિક કરીને તમને Know your PANના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. અહીં ક્લિક કરવાથી નવી વિંડો ખુલશે. જે પછી તમારે ફોર્મમાં પોતાની તમામ જાણકારી યોગ્ય રીતે ભરવી પડશે.

એક ક્લિકમાં જાણો
આ ફોર્મને યોગ્ય રીતે ભર્યા પછી તમારે સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે તે પછી તમારા મોબાઇલ નંબર પર એક કોડ આપશે. આ કોડને નાખી ફરી તમારે સબમિટ કરતા તમે તમારા પાનકાર્ડની વેલિડિટી અંગે જાણકારી મેળવી શકશો.

આધાર-પાન
વધુમાં ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ સાથે પણ પાનકાર્ડને લિંક કરવું હવે સરકારે ફરજિયાત બનાવ્યું છે. 5 ઓગસ્ટના રોજ ઇનકમ ટેક્સ રિર્ટન ભરવાની છેલ્લી તારીખ છે જે પહેલા તમે તમારા આધાર કાર્ડ અને પાનકાર્ડને લિંક કરાવી શકો છો.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
