12 ઓગસ્ટથી મળશે ધોરણ 12ની માર્કશીટ
ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ 12 ઓગસ્ટના રોજ શાળાઓને આપવામાં આવશે. જે બાદ વિદ્યાર્થીઓને આ માર્કશીટ સોંપવામાં આવશે.
ગાંધીનગર : ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ 12 ઓગસ્ટના રોજ શાળાઓને આપવામાં આવશે. જે બાદ વિદ્યાર્થીઓને આ માર્કશીટ સોંપવામાં આવશે.
GSHSEBના એક સૂત્રએ આપેલી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) 11 ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યની જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીઓને માર્કશીટનું વિતરણ કરશે.
"DEO કચેરીઓ પછી તેમને શાળાઓમાં મોકલશે. રાજ્યની મોટાભાગની શાળાઓ 12 ઓગસ્ટના રોજ જ માર્કશીટ અને પ્રમાણપત્રો આપે તેવી શક્યતા છે.
કોરોના સંક્રમણને કારણે આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જે બાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે માર્ક્સ ટેબ્યુલેશન માપદંડ તૈયાર કર્યા હતા.
ચાલુ વર્ષે શાળાના તમામ નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના સરકારના નિર્ણયને અનુરૂપ એક પણ વિદ્યાર્થી નાપાસ કરવામાં આવ્યો ન હતો.
ગુજરાત બોર્ડે તાજેતરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરિણામ જાહેર કર્યા હતા. જેમાં લગભગ 4,00,127 નિયમિત વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
બોર્ડે ચાલુ વર્ષે ચાલુ પ્રમોશનને કારણે 100 ટકા પરિણામ જાહેર કર્યું છે, તેમ છતાં 90 ટકાથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.