12 ઓગસ્ટથી મળશે ધોરણ 12ની માર્કશીટ
ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ 12 ઓગસ્ટના રોજ શાળાઓને આપવામાં આવશે. જે બાદ વિદ્યાર્થીઓને આ માર્કશીટ સોંપવામાં આવશે.
ગાંધીનગર : ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ 12 ઓગસ્ટના રોજ શાળાઓને આપવામાં આવશે. જે બાદ વિદ્યાર્થીઓને આ માર્કશીટ સોંપવામાં આવશે.
GSHSEBના એક સૂત્રએ આપેલી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) 11 ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યની જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીઓને માર્કશીટનું વિતરણ કરશે.

"DEO કચેરીઓ પછી તેમને શાળાઓમાં મોકલશે. રાજ્યની મોટાભાગની શાળાઓ 12 ઓગસ્ટના રોજ જ માર્કશીટ અને પ્રમાણપત્રો આપે તેવી શક્યતા છે.
કોરોના સંક્રમણને કારણે આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જે બાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે માર્ક્સ ટેબ્યુલેશન માપદંડ તૈયાર કર્યા હતા.
ચાલુ વર્ષે શાળાના તમામ નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના સરકારના નિર્ણયને અનુરૂપ એક પણ વિદ્યાર્થી નાપાસ કરવામાં આવ્યો ન હતો.
ગુજરાત બોર્ડે તાજેતરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરિણામ જાહેર કર્યા હતા. જેમાં લગભગ 4,00,127 નિયમિત વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
બોર્ડે ચાલુ વર્ષે ચાલુ પ્રમોશનને કારણે 100 ટકા પરિણામ જાહેર કર્યું છે, તેમ છતાં 90 ટકાથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
