Adipurush: ઓમ રાઉત પર ભડક્યુ બીજેપી અને મહાસભા, કહ્યું- લંકાપતિ સાથે ખરાબ મજાક સહન નહી કરાય...!!
એવું કહેવાય છે કે જો તમે શિદ્દતથી રાહ જોઈ હોય, પરંતુ જ્યારે પરિણામ તમારા મન મુજબ ન આવે તો ઘણી નિરાશા થાય છે અને એવું જ કંઈક સૈફ, પ્રભાસ અને કૃતિની આગામી ફિલ્મ 'આદિપુરુષ' સાથે થયું છે, જેના ટીઝરથી લોકો ખૂબ જ નારાજ છે. આ જ
એવું કહેવાય છે કે જો તમે શિદ્દતથી રાહ જોઈ હોય, પરંતુ જ્યારે પરિણામ તમારા મન મુજબ ન આવે તો ઘણી નિરાશા થાય છે અને એવું જ કંઈક સૈફ, પ્રભાસ અને કૃતિની આગામી ફિલ્મ 'આદિપુરુષ' સાથે થયું છે, જેના ટીઝરથી લોકો ખૂબ જ નારાજ છે. આ જોઈને. તેની પાછળનું કારણ છે ટીઝરમાં રાવણનું પાત્ર ભજવતા અભિનેતા સૈફ અલી ખાનનો લુક, જેને જોઈને લોકો રાવણ નહીં પણ મુગલ શાસકોને યાદ કરી રહ્યાં છે.

ઓમ રાઉત પર ભડક્યુ બીજેપી
સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે, તો બીજી તરફ બીજેપી અને હિંદુ મહાસભા પણ ફિલ્મના ટીઝર પર ભડક્યા છે. ભાજપના પ્રવક્તા માલવિકા અવિનાશે ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે "કંઈક અલગ કરવા માટે તેણે રામાયણના પાત્રને ઉપહાસનો વિષય બનાવ્યો હતો".

સુરમા વાળી આંખો...!!
તેમણે ફિલ્મ બનાવતા પહેલા ન તો વાલ્મીકિ રામાયણ, ન કમ્બન રામાયણ કે રામચરિત માનસ વાંચ્યું હોય તેવું લાગે છે. રાવણ એક અસુર હતો, માયાવી હતો અને શિવનો મહાન ભક્ત હતો, પરંતુ રાઉતના રાવણની લાંબી દાઢી છે, સુરમાવાળી આંખો છે, જે સદંતર ખોટું છે.

ખરાબ મજાક બમધ કરો
તેમણે વધુમાં કહ્યું કે 'બોલીવુડે આપણા પૌરાણિક પાત્રોની મજાક ઉડાવવાનું બંધ કરવું જોઈએ. રામાયણ એ માત્ર ધર્મગ્રંથ નથી પણ એક ભરોસો છે, જે આપણા માટે મહત્વપૂર્ણ છે, તે કોઈને કહેવાની જરૂર નથી પરંતુ બોલિવૂડમાં જે થઈ રહ્યું છે તે દુઃખદ છે.

આતંકી ખિલજી, ચંગેજ ખાન કે ઓરંગજેબ..
માત્ર ભાજપ જ નહીં પરંતુ હિન્દુ મહાસભાએ પણ ફિલ્મના સમગ્ર યુનિટ પર હોબાળો કર્યો છે. મહાસભાના પ્રમુખ ચક્રપાણી મહારાજે કહ્યું કે, "ભગવાન શિવના ભક્ત લંકાપતિ રાવણની ભૂમિકામાં સૈફ અલી ખાનને આતંકવાદી ખિલજી અથવા ઔરંગઝેબ તરીકે દર્શાવવામાં આવ્યો છે. ન તો લંકેશના કપાળ પર તિલક છે કે ન તો ત્રિપુંડા. લંકાપતિના પુષ્પક વિમાનને પણ ચામાચીડિયાની જેમ બતાવવામાં આવ્યું છે, આપણે આપણા પૌરાણિક પાત્રો સાથે આવા ભદ્દા મજાક સહન કરી શકતા નથી.

ફિલ્મને બોયકોટ કરવાની જરૂર
આ પહેલા પણ સોશિયલ મીડિયા યુઝર્સ સૈફના લુક પર ગુસ્સે થયા છે, કેટલાક લોકોએ સૈફના પાત્રને જોઈને કહ્યું હતું કે 'યે બાબર, તૈમૂર, ખિલજી લાગી રહ્યો છે, રાવણ કોણે બનાવ્યો?' ફિલ્મનો બહિષ્કાર કરવો જરૂરી છે.
ફિલ્મ આદિપુરૂષ 12 જાન્યુઆરીએ થશે રિલિઝ
તમને જણાવી દઈએ કે 500 કરોડમાં બનેલી ફિલ્મ 'આદિપુરુષ' 12 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર છે. ફિલ્મ વિરૂદ્ધ ઝડપી નિવેદનબાજી ચાલી રહી છે પરંતુ ફિલ્મના યુનિટ તરફથી હજુ સુધી આ અંગે કોઈ નિવેદન બહાર આવ્યું નથી.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
