Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાણી-આદિત્ય 10મી ફેબ્રુઆરીના રોજ કરશે લગ્ન!

મુંબઈ, 31 ડિસેમ્બર : લાંબા સમયથી બૉલીવુડ અભિનેત્રી રાણી મુખર્જી અને નિર્માતા-દિગ્દર્શક આદિત્ય ચોપરાના લગ્નનો ઇંતેજાર થઈ રહ્યો છે. વચ્ચે-વચ્ચે બંનેના લગ્નના સમાચારો પણ આવ્યાં, પરંતુ દરેક વખતે લોકો નિરાશ જ થયાં છે. ફરી એક વાર રાણી મુખર્જી અને આદિત્ય ચોપરાના લગ્નના સમાચારથી ફિલ્મી શેરીઓમાં ખુશીની લહેર છે.

rani-aditya
જાણવા મળે છે કે રાણી-આદિત્ય 10મી ફેબ્રુઆરી, 2014ના રોજ ચોરીના ચાર ફેરા લેવાનાં છે. કહે છે કે લગ્નની તારીખ તથા સ્થળ બધુ ફાઇનલ થઈ ગયું છે. બંનેના નજીકના મિત્રો અને પરિવારજનો આ લગ્ન સમારંભમાં હાજરી આપશે. આદિત્ય-રાણીના લગ્ન જોધપુર ખાતે થવાનાં છે.

નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાચારો આવ્યાહતાં કે રાણી-આદિત્ય માર્ચમાં લગ્ન કરી લેવાનાં છે. યશરાજના દરેક ઈવેંટ અને દરેક સમારંભમાં રાણી મુખર્જી ચોપરા ખાનદાન સાથે જ નજરે પડે છે. ચર્ચાઓ તો એવી પણ છે કે આદિત્ય અને તેમના પત્ની પાયલના છુટાછેડાનું કારણ રાણી મુખર્જી જ હતાં. જોકે રાણી-આદિત્યનો પ્રેમ જગ-જાહેર છે. આમ છતાં રાણી તથા આદિત્યમાંથી કોઈ પણ પોતાના સંબંધ અંગે જાહેરમાં કે મીડિયામાં કંઈ કહેતા નથી. ખેર, હવે લગ્નની વાત કેટલી સાચી છે, તે તો સમય આવતા જ ખબર પડશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X