For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાણી-આદિત્ય 10મી ફેબ્રુઆરીના રોજ કરશે લગ્ન!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 31 ડિસેમ્બર : લાંબા સમયથી બૉલીવુડ અભિનેત્રી રાણી મુખર્જી અને નિર્માતા-દિગ્દર્શક આદિત્ય ચોપરાના લગ્નનો ઇંતેજાર થઈ રહ્યો છે. વચ્ચે-વચ્ચે બંનેના લગ્નના સમાચારો પણ આવ્યાં, પરંતુ દરેક વખતે લોકો નિરાશ જ થયાં છે. ફરી એક વાર રાણી મુખર્જી અને આદિત્ય ચોપરાના લગ્નના સમાચારથી ફિલ્મી શેરીઓમાં ખુશીની લહેર છે.

rani-aditya
જાણવા મળે છે કે રાણી-આદિત્ય 10મી ફેબ્રુઆરી, 2014ના રોજ ચોરીના ચાર ફેરા લેવાનાં છે. કહે છે કે લગ્નની તારીખ તથા સ્થળ બધુ ફાઇનલ થઈ ગયું છે. બંનેના નજીકના મિત્રો અને પરિવારજનો આ લગ્ન સમારંભમાં હાજરી આપશે. આદિત્ય-રાણીના લગ્ન જોધપુર ખાતે થવાનાં છે.

નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાચારો આવ્યાહતાં કે રાણી-આદિત્ય માર્ચમાં લગ્ન કરી લેવાનાં છે. યશરાજના દરેક ઈવેંટ અને દરેક સમારંભમાં રાણી મુખર્જી ચોપરા ખાનદાન સાથે જ નજરે પડે છે. ચર્ચાઓ તો એવી પણ છે કે આદિત્ય અને તેમના પત્ની પાયલના છુટાછેડાનું કારણ રાણી મુખર્જી જ હતાં. જોકે રાણી-આદિત્યનો પ્રેમ જગ-જાહેર છે. આમ છતાં રાણી તથા આદિત્યમાંથી કોઈ પણ પોતાના સંબંધ અંગે જાહેરમાં કે મીડિયામાં કંઈ કહેતા નથી. ખેર, હવે લગ્નની વાત કેટલી સાચી છે, તે તો સમય આવતા જ ખબર પડશે.

English summary
Aditya Chopra and Rani Mukerji have not only finalised a date for their wedding, they have also chosen the venue.It is the Umaid Bhawan Palace in Jodhpur, and the date is February 10, 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X