જોકરની નિષ્ફળતા બદલ અક્ષય પાસેથી વળતર માંગતા શિરીષ કુંદર
મુંબઈ, 15 સપ્ટેમ્બર : ફિલ્મ જોકરની નિષ્ફળતાનો સમગ્ર દોષ નિર્માતા-નિર્દેશક શિરીષ કુંદરે અક્ષય કુમારને માથે ઢોળ્યો છે. અક્ષયે ફિલ્મના પ્રચારમાં ખાસ ભાગ નહોતો લીધો અને તેને જ ફિલ્મની નિષ્ફળતા માટે જવાબદાર ગણી શિરીષે અક્ષય પાસે વળતરની માગણી કરી છે.

કોરિયોગ્રાફર ફરહા ખાનના પતિ શિરીષ કુંદરની જોકરે બૉક્સ ઑફિસ ઉપર પાણી પણ નથી માંગ્યું. ફિલ્મ બહુ ખરાબ રીતે પિટાઈ ગઈ. તેને માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે ફિલ્મના હીરો અક્ષય કુમારને. અક્ષય કુમારે ફિલ્મના પ્રમોશનમાં બિલ્કુલ ભાગ ન લીધો.
કહેવાય છે કે અક્ષય કુમારના આવા વર્તનથી નારાજ શિરીષ કુંદરે અક્ષય કુમાર (ગેલેરી) પાસે વળતરની માંગણી કરી છે.
જોકે એમ જણાવવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમાર તે વખતે પોતાના સસરા સુપરસ્ટાર રાજેશ ખન્નાની બીમારી અને પછી તેમના મોતને કારણે ઘણાં પરેશાન હતાં. પોતાની પર્સનલ લાઇફમાં ઘણાં શોકમગ્ન હોવાને કારણે અક્ષય કુમારે ફિલ્મના પ્રમોશનમાં ભાગ નહોતો લીધો.
પરંતુ આંતરિક માહિતી ધરાવતા લોકો કહે છે કે અક્ષયને પહેલાથી જ ખબર હતી કે ફિલ્મ નહિં ચાલે. તેથી અક્ષય કુમાર પ્રમોશનથી અળગા રહ્યાં.
હવે કારણ જે કઈં હોય, પણ વાસ્તવિકતા તો એ જ છે કે અક્ષય કુમારે ફિલ્મના પ્રચારમાં ભાગ નહોતો લીધો અને ફિલ્મ લોકોની નજરોમાં ધૂળ સમાન સિદ્ધ થઈ. જોઇએ કે શિરીષ કુંદર હવે શું કરે છે? શિરીષની આ વાતનો અક્ષય કુમાર શું જવાબ આપે છે?
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
