For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજપાલ યાદવને રાહત, હાલ સજા સ્થગિત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 ડિસેમ્બર : હાસ્ય અભિનેતા રાજપાલ યાદવ તથા તેમના પત્નીની સજા દિલ્હી હાઈકોર્ટે મંગળવારે સ્થગિત કરી નાંખી છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું - 3જી ડિસેમ્બરે અપાયેલ આદેશ આગામી આદેશ સુધી સ્થગિત રહેશે. રાજપાલ ત્રણ દિવસ જેલમાં પસાર કરી ચુક્યાં છે. નિચલી અદાલતે રાજપાલને વગર મંજૂરીએ દિલ્હી અને ભારતની બહાર ન જવાની હિદાયત આપી છે.

rajpalyadav
હાઈકોર્ટે જણાવ્યું કે રાજપાલ ભારતની અંદર પોતાની ફિલ્મો પૂરી કરી શકે છે, પરંતુ તેમને દેશની બહાર જવાની પરવાની નથી. નોંધનીય છે કે ગત 3જી ડિસેમ્બરે દિલ્હી હાઈકોર્ટે તેમને તથા તેમની પત્ની રાધાને 5 કરોડના વિશ્વાસઘાતના કેસમાં દસ દિવસ માટે જેલ મોકલી દીધા હતાં. રાજપાલ યાદવ સામે દિલ્હીના એક બિઝનેસમૅનના પૈસા પરત નહીં કરવા અને તેમની સાથે વચનભંગ કરવાનો આરોપ છે.

રાજપાલ યાદવ પોતાની એક ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે કે જેનું નામ અતા પતા લાપતા. આ ફિલ્મના નિર્માણ માટે રાજપાલ યાદવે બિઝનેસમૅન પાસેથી પાંચ કરોડ રુપિયા લીધા હતાં.

English summary
The Delhi High Court Tuesday suspended Bollywood actor Rajpal Yadav's 10-day jail term given for misleading the court in a suit against him and his wife by a businessman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X