ઇમોશનની વાર્તા છે આઈ મી ઔર મૈં : ચિત્રાંગદા સિંહ
મુંબઈ, 19 ફેબ્રુઆરી : બૉલીવુડમાં બીજી સ્મિતા પાટિલ તરીકે જાણીતા થયેલ અભિનેત્રી ચિત્રાંગદા સિંહનું માનવું છે કે કોઈ પણ સંબંધ ત્યારે જ કાયમી બની શકે કે જ્યારે તેમાં ઇમોશનલ સંતુષ્ટિ હોય. માણસ જ્યારે ઇમોશનલ સેટિસ્ફાઇડ થાય, ત્યારે જ તે પૂર્ણત્વે ખુશ રહી શકે અને આ જ ઇમોશનની વાર્તા કહે છે તેમની આવનાર ફિલ્મ આઈ મી ઔર મૈં.

ચિત્રાંગદા સિંહ જણાવે છે - આઈ મી ઔર મૈં ફિલ્મમાં તેમના પાત્રનું નામ અનુષ્કા છે. અનુષ્કા ખૂબ જ શાંત અને ગંભીર છે, પરંતુ અંદરથી તે બહુ વધારે રોમાન્ટિક છે. આઈ મી ઔર મૈં ફિલ્મના કૅરેક્ટરને પોતાના જેવો બતાવતાં ચિત્રાંગદા સિંહે જણાવ્યું કે ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. તેમણે ફિલ્મના હીરો જ્હૉન અબ્રાહમના પણ ખૂબ વખાણ કર્યાં અને જણાવ્યું કે હી ઇઝ ઍ નાઇસ મૅન. જ્હૉન ખૂબ જ ઠાવકા પ્રકારના માણસ છે. જેવા જ્હૉન લવિંગ પોતે છે, તેવો જ તેમનો પ્રેમાળ રોલ ફિલ્મમાં પણ છે. ફિલ્મના નિર્માતા જ્હૉન અબ્રાહમ પોતે છે. તેતી તેમણે ખૂબ ઝીણવટપૂર્વક ફિલ્મના દરેક પાસાઓ ઉપર ધ્યાન આપ્યું છે.
ચિત્રાંગદા સિંહે જણાવ્યું - મને લાગે છે કે ફિલ્મ જરૂર લોકોને ગમશે, કારણ કે તે લોકોના મૂડને હળવુ રાખવાનું કામ કરે છે. આપને જણાવી દઇએ કે આઈ મી ઔર મૈં ફિલ્મમાં ચિત્રાંગતા સાથે વધુ એક અભિનેત્રી પ્રાચી દેસાઈ પણ છે. ફિલ્મનું ગીત ના જાને કહાં સે આયા હૈ... અત્યારથી જ ટૉપ ટેનમાં સ્થાન બનાવી ચુક્યું છે. આ ગીતમાં બંને જ અભિનેત્રીઓ ખૂબ સારી અને સેક્સી લાગી રહી છે. કપિલ શર્મા દિગ્દર્શિત આ ફિલ્મ આગામી 1લી માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહી છે.












Click it and Unblock the Notifications
