ફિલ્મ નિર્માતા મેહુલ કુમારની ઉચાપતના કેસમાં ધરપકડ
મુંબઈ, 16 નવેમ્બર : તિરંગા તેમજ ક્રાંતિવારી જેવી ફિલ્મો બનાવવા માટે જાણીતા ફિલ્મ નિર્માતા મેહુલ કુમારની ઉચાપતના કેસમાં પોલીસે ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મેહુલ કુમારની શુક્રવારે ધરપકડ કરવામાં આવી. તેમની વિરુદ્ધ ફિલ્મ નિર્માણ કમ્પની પૉપ્યુલર એંટરટેનમેંટ નેટવર્ક્સ લિમિટેડ (પેન લિમિટેડ)ના માલિક જયંતીલાલ ગડાએ અદાલતમાં કેસ કર્યો છે.

મેહુલ કુમારે સને 2000માં ગડા પાસેથી બે ફિલ્મોના નિર્માણ માટે રુપિયા લીધા હતાં, જ્યારે તેમણે એક જ ફિલ્મ બનાવી અને બાકીના પૈસા પરત નહીં કર્યાં. ગડાએ 2010માં અદાલતમાં દરખાસ્ત કરી અને અદાલતે તેમની ફરિયાદના આધારે જુહૂ પોલીસને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ કરવાનો આદેશ આપ્યો. ગડાને હવે ન્યાયની આશા છે. જયંતીલાલ ગડાએ જણાવ્યું - પહેલા તેમણે ત્રણ કરોડના ખર્ચે 2002માં કિતને દૂર કિતને પાસ ફિલ્મ બનાવી, પણ બીજી ફિલ્મ શરૂ જ ન થઈ. મેહુલ કુમારે નિર્માણ કમ્પનીની રકમ પોતાના ગૃહનગર જામનગર ખાતે મૉલ બનાવવામાં વાપરી નાંખી. મને ખુશી છે કે તેઓ હવે હિરાસતમાં છે અને મને ભરોસો છે કે ન્યાય મળશે.












Click it and Unblock the Notifications
