ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ જ્હોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે' સામે FIR
બોલિવુડ અભિનેતા જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે' રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે.
બોલિવુડ અભિનેતા જ્હોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે' રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ફિલ્મ પર ખાસ સંપ્રદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે અને હૈદરાબાદમાં જ્હોન અબ્રાહમ સામે એફઆઈઆર પણ ફાઈલ કરવામાં આવી છે. ફરિયાદકર્તા અનુસાર ફિલ્મમાં 'માતમ' સીને એક નિશ્ચિત મુસ્લિમ સંપ્રદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. 'સત્યમેવ જયતે' સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે.

વિવાદોમાં ફસાઈ જ્હોન અબ્રાહમની ફિલ્મ
‘સત્યમેવ જયતે' ફિલ્મની રિલીઝને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે અને ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ છે. હૈદરાબાદમાં ફિલ્મના મેકર્સ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. ફિલ્મ પર મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. શિયા સમુદાયના પ્રમુખ નિસાર હૈદરે જણાવ્યુ કે ડેપ્યુટી કમિશ્નર વી સત્યનારાયણ, દક્ષિણ ઝોન પાસે ફરિયાદ કરવવામાં આવી હતી. ‘અમે ફિલ્મ ‘સત્યમેવ જયતે' ના મેકર્સ સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે ફરિયાદ નોંધાવી છે.'

ફિલ્મના સીને મુસલમાનોની ભાવનાઓને ઠેસ પહોંચાડી
નિસાર હૈદરે આગળ કહ્યુ, ‘અમે મેકર્સને ફિલ્મમાંથી માતમ ક્લિપ હટાવીને ફિલ્મ રિલીઝ કરવા માટે વિનંતી કરી છે. આ સીન સ્પષ્ટ રીતે શઇયા મુસલમાનોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યો છે.' પોલિસ ડીસીપીએ કહ્યુ કે આ મામલે તત્કાલ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યુ, ‘શિયા સમુદાયના સભ્યોએ મારો સંપર્ક કર્યો છે અને ‘સત્યમેવ જયતે' ફિલ્મમાં ‘માતમ' સીન અંગે ફરિયાદ નોંધાવી છે. આ સીન શિયા મુસલમાનોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યો છે. મે તરત જ ડાબીરપુરા પોલિસને એફઆઈઆર નોંધાવવા અને આવશ્યક કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે.'

સ્વાતંત્ર્ય દિવસ પર રિલીઝ થશે ફિલ્મ
ફિલ્મ ‘સત્યમેવ જયતે' ના મેકર્સ સામે આઈપીસીની ધારા 2954, 295 - એ અને 153 - એ હેઠળ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. ‘સત્યમેવ જયતે' ફિલ્મમાં જ્હોન અબ્રાહમ અને મનોજ વાજપેયી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન જાવેરીએ કર્યુ છે અને ટી સીરિઝે ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ સ્વતંત્રતા દિવસે રિલીઝ થવાની છે. આ દિવસે જ અક્ષયકુમારની પોતાની ફિલ્મ ‘ગોલ્ડ' પણ આવી રહી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
