બ્રેસ્ટ કેન્સરના નિદાન બાદ પણ હંમેશા ફિટ રહે છે મિત્તલ, ઇમોશન પોસ્ટ લખી માન્યો આભાર
મુંબઈ, 18 એપ્રીલ : ટીવી અભિનેત્રી અને યુટ્યુબર છવી મિત્તલે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, તે સ્તન કેન્સરથી પીડાઇ રહી છે. અભિનેત્રી છવી મિત્તલે તેના ચાહકો અને ફોલોઅર્સને જણાવવા માટે ઇન્સ્ટાગ્રામનો સહોરો લીધો હતો. મિત્તલને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે. હવે તેણે પોતાની પોસ્ટમાં છવી મિત્તલે જણાવ્યું છે કે, તેને કેવી રીતે ખબર પડી કે, તેને બ્રેસ્ટ કેન્સર છે તેની તેને કેવી રીતે ખબર પડી. છવી મિત્તલે બ્રેસ્ટ કેન્સરની સારવાર વિશે પણ જણાવ્યું હતું. અભિનેત્રીએ સ્તન કેન્સર વિશે જે પણ શેર કર્યું છે, તે દરેક મહિલાએ જરૂરથી વાંચવું જોઈએ.

'હું નસીબદાર છું કે, મને સ્તન કેન્સર વિશે વહેલાસર ખબર પડી...'
છવી મિત્તલે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, મારા પર ખરેખર કોઈ દૈવી શક્તિનો હાથ છે, જે મારી સંભાળ રાખી રહી છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે, મને સ્તનકેન્સરનું વહેલું નિદાન થયું છે. મને જિમમાં છાતીના ભાગે નાની ઈજા થઈ હતી. જે બાદ હું મારા ડૉક્ટરને મળી હતી, જ્યાં તપાસ બાદ મને જાણવા મળ્યું કે, મારા સ્તનમાં એકગાંઠ છે. અમે તેની વધુ તપાસ કરાવી, ત્યાર પછી તેની બાયોપ્સી પણ કરવામાં આવી, જે પોઝિટિવ આવી હતી. જે બાદ મને સ્તન કેન્સર હોવાની પુષ્ટી થઈ હતી.

'મને લાગે છે કે મારું જીમિંગ મને બચાવશે...'
છવી મિત્તલે આગળ લખ્યું કે, દરેક મહિલાઓ માટે, હું કહેવા માંગુ છું કે... મને લાગ્યું કે, મારી જીમિંગ ખરેખર મારો જીવ બચાવશે. કેન્સર પછીના દર્દી તરીકે, વ્યક્તિએ અનિવાર્યપણે 6 માસિક PET સ્કેન કરાવવું પડે છે. તેથી તમારા જીવનને બચાવવા માટે કૃપા કરીનેનિયમિતપણે તમારાસ્તનની તપાસ કરાવો, મેમોગ્રામ કરો... અને જો તમને ગાંઠ જણાય તો તેને અવગણશો નહીં.

'બ્રેસ્ટ કેન્સરનું નિદાન વહેલા થાય એ એકમાત્ર ઈલાજ...'
છવી મિત્તલે એમ પણ જણાવ્યું હતું કે, બ્રેસ્ટ કેન્સરનું વહેલું નિદાન એ જ એકમાત્ર ઈલાજ છે. જે બાદ તમે તેનાથી બચવા માટે તમારાથી બનતા તમામ પ્રયત્ન કરીશકો છો. છવી મિત્તલે પોતાની લાંબી પોસ્ટમાં લોકોની પ્રાર્થના અને શુભકામનાઓ બદલ આભાર માન્યો છે.

'ગઈકાલથી મારા આંસુ સુકાતા નથી...'
પોતાના ચાહકો અને સમર્થકોનો આભાર માનતા છવી મિત્તલે લખ્યું, "ગઈકાલથી મારા આંસુ સુકાઇ રહ્યા નથી, પરંતુ તે આંસુ આનંદ છે! મને છેલ્લા 24 કલાકમાં હજારોસંદેશાઓ અને શુભેચ્છાઓ મળી છે, જેણે મને ભાવુક બનાવી દીધો છે. લોકોએ મારા વિશે મજબૂત, સુપરવુમન, પ્રેરણા, ફાઇટર અને બીજા ઘણા સુંદર શબ્દો કહ્યા છે.

'દરેક ધર્મ સ્થાનોમાં મારા માટે પ્રાર્થના થઇ હતી'
છવી મિત્તલે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, વિવિધ ધર્મના લોકોએ ભોલેનાથ, ગુરુગ્રંથ સાહેબ, માસ પ્રેયર દરમિયાન તેમના માટે પ્રાર્થના કરી હતી. છવી મિત્તલેલખ્યું હતું કે, લોકો વૈકલ્પિક ઉપચારો, વાંચવા માટે પુસ્તકો, સૌથી વધુ પ્રેરણાદાયી છે. લોકો પોતાના સ્તન કેન્સરની સફર, મારી સાથે શેર કરી રહ્યાંછે. હું પણ આવા સમર્થકોમાંની એક છું. પ્રેમ અને વ્યસ્ત સમુદાયને શોધીને અભિભૂત છું. હું જલ્દી સાજી થઈ જઈશ.

'પ્રિય સ્તન, હવે તામારી પડખે ઊભા રહેવાનો મારો વારો છે...'
છવી મિત્તલે પોતાના સ્તન કેન્સર વિશે ખુલાસો કરતાં સમયે લખ્યું કે, ડિયર બ્રેસ્ટ, હાલ તમે કેન્સર સામે લડી રહ્યા છો, ત્યારે તમારી સાથે ઉભા રહેવાનો મારો વારો છે. જ્યારે તમેમારા બાળકોને ખવડાવ્યું ત્યારે મારા જીવનમાં તમારું મહત્વ વધી ગયું હતું. આમ થવું શ્રેષ્ઠ છે. આ સરળ નહીં હોય, પરંતુ તે મુશ્કેલ પણ નહોવું જોઈએ. હું કદાચ ફરીથી આવી ન દેખાઈ શકું, પરંતુ તેનાથી મને કોઈ અલગ અનુભવ કરાવવાની જરૂર નથી.