હોસ્પિટલમાં છે કાદરખાન, પુત્રએ નિધનના સમાચારોને ગણાવ્યા અફવા
સરફરાજે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યુ કે તેમના પિતા કેનાડાની હોસ્પિટલમાં ભરતી છે. નિધનના ખોટા છે અને માત્ર એક અફવા છે.
હિંદી સિનેમાના દમદાર અભિનેતાઓનાં શામેલ ખાન હાલમાં કેનાડાની હોસ્પિટલમાં ભરતી છે તેમને શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી થઈ રહી છે. જો કે તેમની હાલત નાજુક છે પરંતુ ડૉક્ટરોની પૂરી કોશિશ તેમના સાજા કરવામાં લાગેલી છે. તેમના બોલિવુડના દોસ્તો તેમના માટે દુઆ માંગી રહ્યા છે તો વળી સોશિયલ મીડિયા પર અમુક તોફાની તત્વોએ તેમના નિધનના સમાચાર ફેલાવીને તેમના ઘરવાળાને વધુ દુઃખી અને હેરાન કરી દીધા છે.
હોસ્પિટલમાં છે કાદરખાન
મામલો વધતો જોઈ કાદરખાનના પુત્ર સરફરાજે મીડિયામાં નિવેદન આપી અફવાઓ ફગાવી દેવી પડી છે. સરફરાજે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યુ કે તેમના પિતા કેનાડાની હોસ્પિટલમાં ભરતી છે. નિધનના ખોટા છે અને માત્ર એક અફવા છે. તમને લોકોને પ્રાર્થના છે કે તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરો.
કાદર ખાન વેંટિલેટર પર છે
ઉલ્લેખનીય છે કે કાદરખાનને ડૉક્ટરોએ વીઆઈપીએપી વેંટિલેટર પર રાખ્યા છે. તે વાતચીત નથી કરી શકતા. ડૉક્ટરોને શંકા છે તેમને નિમોનિયા થઈ ગયો છે. જો કે ડૉક્ટરોની ટીમ સતત કાદર ખાનની તબિયત પર નજર રાખી રહ્યા છે.
લોકોએ માંગી કાદર ખાન માટે દુઆઓ
તમને જણાવી દઈએ કે કાદર ખાનની બગડતી તબિયત પર ચિંતા વ્યક્ત કરતા રવિનના ટંડને એક ઈમોશનલ પોસ્ટ શેર કરાત તેમની સલામતીની દુઆ માંગી છે. વળી, થોડા દિવસો પહેલા જ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ ટ્વિટર પર પોતાના ફેન્સે તેમના માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી હતી.
ઉત્કૃષ્ટ અભિનેતા રહ્યા છે કાદર ખાન
તમને જણાવી દઈએ કે 1973માં પોતાની પહેલી ફિલ્મ દાગથી પોતાના અભિનયની શરૂઆત કરાવનાર કાદરખાને અત્યાર સુધી લગભગ 300 ફિલ્મોમાં વિલન, કોમેડિયન, ડાયલોગ રાઈટર અને સ્ક્રિપ્ટ રાઈટરની ભૂમિકા નિભાવી છે અને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.
આ પણ વાંચોઃ Live: વિપક્ષના વિરોધ વચ્ચે રાજ્યસભામાં આજે રજૂ થશે ટ્રિપલ તલાક બિલ