કરણે એકતા-શાહરુખને ભારે નુકસાનમાંથી ઉગાર્યાં
મુંબઈ, 15 જૂન : સમાચાર આવ્યા હતાં કે બાલાજી મોશનના પ્રમુખ એકતા કપૂર કે જેઓ કોઈનું નથી સાંભળતાં, તેમણે અચાનક જ પોતાની ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇન ઇન મુંબઈ અગેનની ડેટ એક સપ્તાહ આગળ વધારી દીધી અને તે પણ શાહરુખના કહેવા પર. આ વાત કોઈને હજમ નહોતી થતી. તેથી ફિલ્મી પંડિતોએ મૂળ કારણ શોધવાના પ્રયત્ન કર્યાં અને વિશ્વાસ કરો કે હકીકત સાચે જ સામે આવી ગઈ. સમાચાર આવી રહ્યાં છે કે એકતાએ આ બધુ પોતાના મિત્ર કરણ જૌહરના કહેવા પર કર્યું છે.

કરણ જૌહર એક સફળ ફિલ્મકાર છે. માર્કેટને સારી પેઠે સમજે છે. તેથી તેમણે બિઝનેસના પાસાએથી એકતાને સમજાવવાની કોશિશ કરી કે જો બે મોટી ફિલ્મો એક જ દિવસે રિલીઝ થશે, તો તેનાથી કોઈને પણ ફાયદો નહિં થાય. આ વાત એકતા કપૂર સમજી ગયાં અને તેમણે પોતાની વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન ફિલ્મની ડેટ એક સપ્તાહ આગળ ખસેડી નાંખી. હવે શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ 8મી ઑગસ્ટે અને અક્ષય કુમાર અભિનીત ઓયૂટીઆઈએમએ ફિલ્મ 15મી ઑગસ્ટે રિલીઝ થશે. આમ કરણે પોતાના બંને મિત્રોને પોતાની કુનેહથી નુકસાનમાંથી ઉગારી લીધાં. ચેન્નઈ એક્સપ્રેસમાં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણે છે, જ્યારે ઓયૂટીઆઈએમએમાં અક્ષય કુમાર સાથે સોનાક્ષી સિન્હા તેમજ ઇમરાન ખાન છે.
નોંધનીય છે કે અગાઉ એવા સમાચાર આવ્યા હતાં કે શાહરુખે ઓયૂટીઆઈએમએના નિર્માતા એકતાના પિતા જિતેન્દ્ર સાથે વાત કરી હતી કે તેઓ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દ્યો. જિતેન્દ્રે સમયનો તકાજો સમજ્યો અને બંને ફિલ્મોને ધ્યાનમાં લઈ નિર્ણય કર્યો કે તેઓ પોતાની ફિલ્મ એક સપ્તાહ બાદ રિલીઝ કરશે. શાહરુખે દિલથી જિતેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેમણે વરિષ્ઠ હોવાના નાતે મોટાપણું નિભાવ્યું, પણ આ કિસ્સાની પાછળ જિતેન્દ્ર નહિં, બલ્કે કરણ જૌહર હતાં.












Click it and Unblock the Notifications
