For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂરોના સરતાજ મન્ના ડેનું બેંગલોરમાં નિધન, શોકમાં બોલિવુડ

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 24 ઓક્ટોબર: એક દુ:ખદ સમાચાર બોલિવુડમાંથી આવી રહ્યા છે, સૂરોના સરતાજ અને એક બહુમુખી પ્રતિભાના માલિક મન્ના ડેનું બુધવારે મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે બેંગલુર ખાતે નિધન થઇ ગયું છે. તેઓ 94 વર્ષના હતા, તેમજ તેઓ લાંબા સમયથી બિમાર હતા. તેમની કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. 19 સપ્ટેમ્બરના રોજ પણ તેમની હાલત ખરાબ થઇ હતી તો તેમને બેંગલોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મે 2013માં જ પોતાના જીવનના 94 વર્ષ પૂરા કરનારા મન્ના ડે છેલ્લા ઘણા વર્ષોથી બિમાર ચાલી રહ્યા હતા. તેમની સારવાર તેમની દીકરી બેંગલોરમાં કરાવી રહી હતી. મન્ના ડે છેલ્લા ઘણા સમયથી પોતાની પુત્રી સાથે બેંગલોરમાં જ રહી રહ્યા હતા.

manna dey
હિંદી અને બંગાળી સહિત ઘણી ભાષાઓમાં 3500થી પણ વધારે ગીતો ગાનાર મન્ના ડેને 2007માં દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા આવ્યા હતા. તેમના દ્વારા ગવાયેલા ગીતો જિંદગી કેસી હૈ પહેલી... લાગા ચૂનરી મેં દાગ... એક સચૂર નાર... અને ઓ મેરી ઝોહરજવી... વગેરે ગીતો આજે પણ લોકો ખૂબ જ જુસ્સાથી ગાય છે.

મન્ના ડેના જન્મ દિવસ પર મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે મન્ના ડેની અવાજમાં જાદુ છે જે દરેકનામાં નથી હોતો. સંગીતનો આ મહાન ઉપાસક આજ ભલે જીંદગીને અલવિદા કહીને જતા રહ્યા હોય પરંતુ આજે પણ તેઓ પોતાની મધુર અવાજથી લોકોના હૃદયમાં ધડકી રહ્યા છે. સંગીતના આ મહાન જાદુગરની પવિત્ર આત્માને શાંતિ મળે એ માટેની પ્રાર્થના વનઇન્ડિયા પરિવાર પણ કરે છે...

<strong>(આ પણ વાંચો સુરોમાં હયાત મન્ના)</strong>(આ પણ વાંચો સુરોમાં હયાત મન્ના)

English summary
Legendary playback singer Manna Dey passed away early Friday at a private hospital here. He was 94.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X