PNB Scam: નિરવ મોદીને લઇને પ્રિંયકા ચોપડાની માં કહ્યું આ...

પ્રિયંકા ચોપડાની માતા મધુ ચોપડાએ પીએનબી કૌંભાંડ અને નિરવ મોદી મામલે કહ્યું કે જે કંઇ પણ થયું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. નિરવ મોદીએ જે કર્યું છે તેની સજા તેને ચોક્કસથી મળશે.

પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી તેવા નીરવ મોદીને લઇને હાલ જ્યાં અલગ અલગ લોકો અલગ અલગ નિવેદન આપી રહ્યા છે. એટલે સુધી કે તેની કંપનીના પણ અનેક લોકો હાલ નિરવ મોદીને લઇને ટિપ્પણી કરી રહ્યા છે. ત્યારે જ બોલીવૂડની જાણીતી અભિનેત્રી અને પીએનબીની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકેલી પ્રિયંકા ચોપડાની માતા મધુ ચોપડાએ આ મામલે એક મોટું નિવેદન આપ્યું છે. ન્યૂઝ ચેનલ આજ તક સાથે વાતચીતમાં મધુ ચોપડાએ કહ્યું કે જે કંઇ પણ થયું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. નિરવ મોદીએ જે કર્યું છે તેની સજા તેને ચોક્કસથી મળશે. તમને જણાવી દઇએ કે પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદીના પ્રોડક્ટરની બ્રાંડ એમ્બેસેડર પ્રિયંકા રહી ચૂકી છે. પણ જ્યારે નિરવ મોદીનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે પ્રિયંકા ચોપડાએ તેની સાથે તમામ કરાર તોડી દીધા હતા. આ મામલે મધુ ચોપડાએ કહ્યું કે મારી પુત્રીએ કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરી દીધો છે.

priyanka

અને આ સમગ્ર મામલે જે પણ ઓફિશિયલી એક્શન લેવાની હતી તે અમે લઇ રહ્યા છીએ. મધુ ચોપડાએ કહ્યું કે નિરવ મોદીના કહેવામાં અને કરવામાં ફરક હતો. તે જોવો દેખાતો હતો તેવો તે હતો નહીં. આજે પણ નિરવ મોદીના અનેક શો રૂમમાં પ્રિયંકાની તસવીરો તમને જોવા મળી શકે છે. વળી તે વર્ષ 2017થી આ કંપનીના પ્રોડક્ટની બ્રાન્ડ એમ્બેસેડર હતી. નિરવ મોદીએ દેશની બીજી સૌથી મોટી બેંક તેવી પંજાબ નેશનલ બેંક સાથે 1.77 બિલિયન ડોલરનું કૌભાંડ કર્યું છે. હાલ આ મામલે સીબીઆઇ તપાસ કરી રહી છે. અને તેમના અનેક શોરૂમ પર ઇડીએ દરોડા પાડી સીલ કર્યા છે. જો કે હાલ નિરવ મોદી દેશ છોડીને જતા રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X