Special Screening : આઝાદ સંજય દત્તે ફૅમિલી સાથે જોઈ PK
મુંબઈ, 26 ડિસેમ્બર :
એક બાજુ વિધુ વિનોદ ચોપરા નિર્મિત અને રાજકુમાર હીરાણી દિગ્દર્શિત ફિલ્મ પીકે બૉક્સ ઑફિસે ધમાલ મચાવી રહી છે, તો બીજી બાજુ ફિલ્મમાં લીડ રોલ કરી રહેલા આમિર ખાન આ સફળતાની ઉજવણી ફિલ્મના વધુ એક એક્ટર સંજય દત્ત સાથે કરી રહ્યા છે.
સંજય દત્ત ગઈકાલે જ પુણેની યરવડા જેલમાંથી છુટ્યાં છે અને વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હીરાણી તથા આમિર ખાને પીકેમાં ભૈરોસિંહનો રોલ કરનાર સંજય દત્ત માટે ખાસ સ્ક્રીનિંગનું આયોજન કર્યું કે જેથી સંજય દત્ત પોતાની આ ફિલ્મ જોઈ શકે.
પીકે પ્રોડક્શન ટીમ તરફથી એક નિવેદનમાં જણાવાયું કે સંજય દત્તે ફિલ્મનું એક પણ સીન આ પહેલા નહોતુ જોયું. સંજયને ફિલ્મના પ્રમોશનમાં ભાગ ન લઈ શકવાનો પણ અફસોસ છે. હવે સંજય 14 દિવસ માટે આઝાદ છે અને તેમણે સાંતાક્રૂઝ ખાતે આવેલ થિયેટરમાં પીકે ફિલ્મ જોઈ.
ચાલો તમે પણ જુઓ સંજય માટે યોજાયેલ પીકેના સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો :

સંજય માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ
સંજય દત્ત જેલમાંથી છુટતાં નિર્માતા વિધુ વિનોદ ચોપરા, આમિર ખાન અને રાજકુમાર હીરાણીએ તેમના માટે પીકેનું વિશેષ સ્ક્રીનિંગ યોજ્યુ હતું.

પુત્ર સાથે સંજૂ
સંજય દત્ત પીકે જોવા માટે પોતાના નાનકડા દીકરા સાથે પહોંચ્યા હતાં.

આખો પરિવાર
સંજય દત્તનો આખો પરિવાર સ્ક્રીનિંગમાં હાજર હતો કે જેમાં માન્યતા અને બે બાળકોનો સમાવેશ થાય છે.

સંજૂ-આમિર
સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન આમિર સાથે સંજય.

હૅપ્પી મોમેંટ
આ છે સંજય દત્તની હૅપ્પી મોમેંટ.

વધુ એક
સંજય દત્ત આમિર ખાન સાથે ખૂબ જ ખુશ જણાય છે.

હીરાણી-સંજૂ-વિધુ
સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન રાજકુમાર હીરાણી, સંજય દત્ત અને વિધુ વિનોદ ચોપરા.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ











Click it and Unblock the Notifications
