સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, શું તેમને ઝેર આપાયું? તપાસ થશે
સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, શું તેમને ઝેર આપાયું? તપાસ થશે
નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે પોતાના મુંબઇ સ્થિત ફ્લેટ પર ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી, તેમના આ પગલાંથી સૌકોઇ સ્તબ્ધ છે અને આ ઘટના પર દુખ વ્યક્ત કરી રહ્યા છે. જેવી રીતે માત્ર 34 વર્ષની ઉંમરે યુવા અને શ્રેષ્ઠ કલાકાર સુશાંતે આત્મહત્યા કરી, તેના પર કોઇને વિશ્વાસ નથી થઇ રહ્યો. સુશાંતના મૃત્યુ બાદ તેમના ઘરવાળા બહુ દુખી છે અને તેમને પણ આ વાતનો વિશ્વાસ કરી શકવો બહુ મુશ્કેલ થઇ રહ્યો છે. સુશાંતના મૃત્યુ બાદથી તેના ઘરવાળા બહુ દુખી છે અને તેમના માટે પણ આ વાતનો વિશ્વાસ કરી શકવો મુશ્કેલ થઇ રહ્યું છે. સુશાંતના મામાએ આને ષડયંત્ર ગણાવતાં ન્યાયીક તપાસની માંગ કરી હતી. જ્યારે બિહારના વરિષ્ઠ નેતા પપ્પૂ યાદવે સુશાંતના પિતાની મુલાકાત બાદ દાવો કર્યો હતો કે તેઓ ઇચ્છે છે કે આ મામે સીબીઆઇ તપાસ થાય. આ દરમિયાન સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે.

પોસ્ટમોર્ટમમાં વાત સામે આવી
સુશાંતની આત્મહત્યા પર ઉઠી રહેલા સવાલો વચ્ચે તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું કે સુશાંતનું મૃત્યુ આત્મહત્યાના કારણે થયું છે. મુંબઇના જુહૂ સ્થિત કપૂર હોસ્પિટલમાં તેમનું પોસ્ટમોર્ટમ થયું. જેમાં સામે આવ્યું કે સુશાંતે આત્મહત્યા કરી છે. જો કે સુશાંતના ઓર્ગન્સને જેજે હોસ્પટલે મોકલવામાં આવ્યા છે, જ્યાં સુશાંતને ઝેર તો આપવામાં નથી આવ્યું ને! તે દિશામાં તપાસ થશે. તમામ હિટ ફિલ્મોમાં કામ કરનાર સુશાંત સિંહના મોતના સમાચાર જેવા જ સામે આવ્યા, લોકોને લાગ્યું કે આ ફેક ન્યૂજ છે, પરંતુ જ્યારે પોલીસે મામલાની પુષ્ટિ કરી તો સૌકોઈ સ્તબ્ધ અને દુખી થઇ ગયા.

સૌકોઇએ દુખ વ્યક્ત કર્યું
સુશાંતના મોત બાદ પોલીસે આ વાતની જાણકારી આપતા કહ્યું હતું કે શરૂઆતમાં અમને આ આત્મહત્યા લાગે છે અને કોઇપણ સંદિગ્ધતા જવા નથી મળી રહી. અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી રહ્યા છીએ. જો કે સુશાંત સિંહના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ નથી મળી. સુશાંતના નિધન બાદ બૉલીવુડની તમામ હસ્તીઓએ દુખ વ્યક્ત કર્યું, પીએમ મોદીથી લઇ રાહુલ ગાંધી સુધીના નેતાઓએ આ ઘટના પર પોતાનું દુખ વ્યક્ત કરી સુશાંતના પરિજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી.

સીબીઆઇ તપાસ થાય
જણાવી દઇએ કે બિહારની રાજધાની પટનામાં રહેતા સુશાંતના પિતા કેકે સિંહને જ્યારે સુશાંતની આત્મહત્યાના સમાચાર મળ્યા તો તેઓ આ દુખ સંભાળી નહોતા શક્યા અને બેભાન થઇ ગયા, હાલ તેમની હાલત સ્થિર છે. પટનામાં સુશાંતના પતાને મળવા પહોંચેલા સાંસદ પપ્પૂ યાદવે ટ્વીટ કરી સીબીઆઇ તપાસની માંગ કરી છે. પપ્પૂ યાદવે સુશાંત સિંહના મોતને હત્યા જણાવતા આમાં કોઇ મોટા ષડયંત્રની આશંકા જતાવી છે. તેમણે લખ્યું, બિહારના ગૌરવ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા ના કરી શકે. તેમના મોતની સીબીઆઇ તપાસ થાય.

આજે અંતિમ સંસ્કાર થશે
પપ્પૂ યાદવે ટ્વીટમાં આગળ લખ્યું, પટનામાં સુશાંતના પિતાજીને તેમના નિવાસ સ્થાને મળ્યો, તેઓ સીબીઆઇ તપાસ ઇચ્છે છે, તેઓ કહે છે કે મૃત્યુની બે કલાક પહેલા તેમની વાત થઇ હતી. આત્મહત્યા જેવી કોઇ વાત જ નહોતી. જણાવી દઇએ કે એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં જ કરવામાં આશે. તેમના પિતા કેકે સિંહ સોમવારે સવારે 11 વાગ્યે ફ્લાઇટથી મુંબઇ માટે રવાના થશે.
આ પણ વાંચો-
- આજે થશે સુશાંત સિંહના અંતિમ સંસ્કાર, પટનાથી મુંબઈ પહોંચ્યો પરિવાર
- ટીવીના 'માનવ'થી સિલ્વર સ્ક્રીનના 'માહી' સુધી, સુશાંતનો રહ્યો 'શુદ્ધ દેસી રોમાંસ', વાંચો ફિલ્મી સફર
- Sushant Singh Rajput: બેકગ્રાઉન્ડ ડાંસરથી લઇ બૉલીવુડના ડેશિંગ હીરો સુધીની સફર
- 5 દિવસ પહેલા સુશાંતની પૂર્વ મેનેજર દિશા સલિયનું પણ 14મા માળેથી પટકાતાં મોત થયું હતું
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
