5 દિવસ પહેલા સુશાંતની પૂર્વ મેનેજર દિશા સલિયનું પણ 14મા માળેથી પટકાતાં મોત થયું હતું
5 દિવસ પહેલા સુશાંતની પૂર્વ મેનેજર દિશા સલિયનું પણ 14મા માળેથી પટકાતાં મોત થયું હતું
બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પોતાના ઘરમાં ફાંસી લગાવી આજે આપઘાત કરી લીધો છો. આ અંગે તેમના નોકરે પોલીસને જાણકારી આપી હતી. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. થોડા સમય પહેલા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સલિયને પણ મુંબઈમાં 14 માળની ઇમારતથી પડી જતાં તેનુ મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું હતું કે તે પોતાના મંગેતર સાથે મુંબઇના મલાડમાં રહેતી હતી. ઘટનાની જાણકારી થતા જ તેને બોરિવલીની હોસ્પિટલે લઇ જવામાં આવી જ્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવી હતી.
દિશાનું 4 દિવસ પહેલા મોત
દિશાના મોત પર સુશાંત સિંહ રાજપૂતે પણ શોક વ્યક્ત કર્યો હતો. જો કે વર્ષ બૉલીવુડ ઈન્ડસ્ટ્રી માટે કંઇ ખાસ નથી રહ્યું. કેટલાય મટા સ્ટાર્સના નિધનના સમાચાર સાંભળીને ફેન્સ પણ ઘણા પરેશાન થયા છે. અગાઉ પ્રાઇમ પેટ્રોલ એક્ટ્રેસ પ્રેક્ષા મેહતાએ પણ પંખે લટકી આપઘાત કરી લીધો હતો.
બૉલીવુડ માટે વર્ષ ખરાબ રહ્યું
જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતે પોતાની પહેલી ફિલ્મથી જ દર્શકોનું દિલ જીતી લીધું હતું અને સાબિત કરી બતાવ્યું હતું કે તેમનામાં ટેલેન્ટની કોઇ કમી નથી. 34 વર્ષના ડેશિંગ સુશાંત આખરે 2019માં આવેલી ફિલ્મ છિછોરેમાં જોવા મળ્યા હતા. ફેન્સ તેમને બીજીવાર પડદા પર જોવા માટે બહુ આતુર હતા.
|
મિત્રો સાથે પાર્ટી કરતી હતી અને બની ઘટના
જણકારી મુજબ દિશા સાલિયાન પોતાના મિત્રો સાથે પાર્ટી કરી રહી હતી. દરમિયાન બધા જ લોકો દારૂના નશામાં ધૂત હતા. ત્યારે દિશાનો પગ લપસી જતાં તે 14મા માળેથી નીચે ખાબકી હતી. પોલીસે દિશાના નજીકના દોસ્તોની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે કેટલાક દિવસોથી દિશા ડિપ્રેશનમાં હતી.
Shocking: બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપુતે ફાંસી લગાવી આપઘાત કર્યો