પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાને કોર્ટનો ઝટકો, 14 દિવસની ન્યાયીક કસ્ટડી કરી મંજુર
અભિનેતા શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને પોર્નોગ્રાફી મામલામાં મંગળવાર (27 જુલાઈ) ના રોજ અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. રાજ કુંદ્રાની સાથે આ કેસના અન્ય આરોપી રયાન થોરપેને પણ 14 દિવસની ન
અભિનેતા શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને પોર્નોગ્રાફી મામલામાં મંગળવાર (27 જુલાઈ) ના રોજ અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. રાજ કુંદ્રાની સાથે આ કેસના અન્ય આરોપી રયાન થોરપેને પણ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. રાજ કુંદ્રાએ બોમ્બે હાઇકોર્ટમાં જામીન માટે અપીલ કરી હતી. રાજ કુંદ્રાને મુંબઈની ક્રાઇમ બ્રાંચના પ્રોપર્ટી સેલ દ્વારા 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. પોર્નોગ્રાફી મામલે રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડીનો આજે અંત આવી રહ્યો હતો.
અશ્લીલ ફિલ્મો બનાવવા અને એપ પર બતાવવા બદલ ધરપકડ બાદ રાજ કુંદ્રાને બે વાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ દાખલામાં, રાજ કુંદ્રાને 23 જુલાઈ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો અને બીજામાં મેજિસ્ટ્રેટની અદાલતે તેમને 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
શું છે મામલો
અશ્લીલ ફિલ્મો બનાવવા અને એપ પર બતાવવા બદલ ધરપકડ બાદ રાજ કુંદ્રાને બે વાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ દાખલામાં, રાજ કુંદ્રાને 23 જુલાઈ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો અને બીજામાં મેજિસ્ટ્રેટની અદાલતે તેમને 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. .
રાજ કુંદ્રાના રિમાંડ વધારવા માંગે છે પોલીસ
સુત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસ પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાની કસ્ટડીમાં વધારો કરવા માંગે છે. રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડી તેમજ તેમની કંપનીમાં આઇટી ચીફ રાયન થોર્પની કસ્ટડી આજે પુરી થાય છે.
ફેબ્રુઆરીના દાખલ થયો પોર્નોગ્રાફીનો કેસ
આ કેસ ફક્ત ફેબ્રુઆરી 2021 માં પોર્નોગ્રાફીના કેસમાં નોંધાયો હતો. આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે પોલીસે મલાડ પશ્ચિમ વિસ્તારમાં સ્થિત બંગલા પર દરોડો પાડ્યો હતો અને જાણવા મળ્યું હતું કે ત્યાં અશ્લીલ ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસને તે સમયે રાજ કુંદ્રા સામે પુરાવા મળ્યા હતા. પરંતુ ધરપકડ કરવા માટે પોલીસ નક્કર પુરાવા શોધી રહી હતી. પોર્નોગ્રાફીના કેસોમાં અત્યાર સુધીમાં કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ કુન્દ્રાને આ સમગ્ર મામલામાં મુખ્ય કાવતરાખોર કહેવામાં આવી રહ્યો છે.