રામલીલાનું નામ બદલવાની તૈયારીમાં છે એસએલબી!
મુંબઈ, 13 નવેમ્બર : દિલ્હી કોર્ટ તરફથી ભાનુશાળીની ભવ્ય ફિલ્મ રામલીલાને આખા દેશમાં પ્રતિબંધિત કર્યા બાદ હવે જાણવા મળે છે કે કદાચ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભાનુશાળી પોતાની આ ફિલ્મનું નામ બદલી નાંખશે. જોકે આ બાબતની પુષ્ટિ અત્યારે નથી થઈ, પણ આમ છતાં સમય પર ફિલ્મ રિલીઝ કરવા માટે આવું કરી શકાય છે.

રામલીલા ફિલ્મના નિર્માતા ઉપરાંત દિગ્દર્શક અને લેખક પણ એસએલબી જ છે. એસએલબીનું આ નિવેદન દિલ્હી કોર્ટના ચુકાદા બાદ આવ્યું છે. નોંધનીય છે કે એક અરજી ઉપર સુનાવણી કરતાં કોર્ટે રામલીલા ફિલ્મની રિલીઝ સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. અરજીમાં જણાવાયુ હતું કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે અભિનીત રામલીલા ફિલ્મમાં સેક્સ, હિંસા તથા અશ્લીલતા પિરસવામાં આવી છે કે જેથી હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાય છે. અરજી કરનારે ફિલ્મનું શીર્ષક બદલવાની માંગ કરી છે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
