રામલીલાનું નામ બદલવાની તૈયારીમાં છે એસએલબી!
મુંબઈ, 13 નવેમ્બર : દિલ્હી કોર્ટ તરફથી ભાનુશાળીની ભવ્ય ફિલ્મ રામલીલાને આખા દેશમાં પ્રતિબંધિત કર્યા બાદ હવે જાણવા મળે છે કે કદાચ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભાનુશાળી પોતાની આ ફિલ્મનું નામ બદલી નાંખશે. જોકે આ બાબતની પુષ્ટિ અત્યારે નથી થઈ, પણ આમ છતાં સમય પર ફિલ્મ રિલીઝ કરવા માટે આવું કરી શકાય છે.

રામલીલા ફિલ્મના નિર્માતા ઉપરાંત દિગ્દર્શક અને લેખક પણ એસએલબી જ છે. એસએલબીનું આ નિવેદન દિલ્હી કોર્ટના ચુકાદા બાદ આવ્યું છે. નોંધનીય છે કે એક અરજી ઉપર સુનાવણી કરતાં કોર્ટે રામલીલા ફિલ્મની રિલીઝ સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. અરજીમાં જણાવાયુ હતું કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે અભિનીત રામલીલા ફિલ્મમાં સેક્સ, હિંસા તથા અશ્લીલતા પિરસવામાં આવી છે કે જેથી હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાય છે. અરજી કરનારે ફિલ્મનું શીર્ષક બદલવાની માંગ કરી છે.












Click it and Unblock the Notifications
