કાળીયાર શિકાર કેસ: સલમાન ખાનની ચિંતામાં વધારો
બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન પર ચાલી રહેલ આર્મ કેક્ટ કેસની તારીખ એક વાર ફરીથી ટળી ગઇ છે. હવે 3 માર્ચના રોજ આ કેસ પર સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણીથી સલમાન ખાનની આવનારી બે ફિલ્મોના નિર્માતાઓને રાહત મળી છે. આ બે ફિલ્મો આ વર્ષે રિલીઝ થવાની શક્યતા છે. સલમાન ખાન હાલમા ગુજરાતના રાજકોટમાં સુરજ બડજાતિયાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોની શૂટિંગ કરી રહ્યા છે.
આ ઉપરાંત એક થા ટાઇગરના નિર્દેશક કબીર ખાનની હવે પછીની ફિલ્મ બજરંગી ભાઇજાનની શૂટિંગ પણ લગભગ ખતમ થઇ ગઇ છે, હવે ફીલ્મના પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મ વર્ષના મધ્યમાં રિલીઝ થનારી છે. બોલીવુડના જાણીતા ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાથે સલમાન ખાનના કેસ અને તેમની ફિલ્મો પર લાગેલા રૂપિયાને મેળવીને એ જણાવ્યું કે સલમાન ખાનના કેસ પર આ નિર્માતાઓના કરોડોના રૂપિયા લાગેલા છે.
સલમાન ખાનની ઉપર ચાલી રહેલ આર્મ્સ એક્ટનો સંબંધ 16 વર્ષ પહેલા જોધપુરમાં થયેલ કાળીયાર હરણના શિકારના કેસથી છે. આ દરમિયાન સલમાન ખાન સહિત કેટલાંક અન્ય એક્ટરોએ પણ ગેરકાયદેસર રીતે કાળિયારનો શિકાર કર્યો હતો. તે સમયે સલમાન ખાન ફિલ્મ હમ સાથ સાથ હેની શૂટિંગ કરી રહ્યા હતા.