For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજ-કાલમાં ફિલ્મોનું શૂટિંગ શરૂ કરશે સંજય દત્ત

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 એપ્રિલ : સુપ્રીમ કોર્ટ પાસેથી ચાર અઠવાડિયાની મહેતલ પામનાર અભિનેતા સંજય દત્ત આજ-કાલમાં જ પોતાની ફિલ્મોનું શૂટિંગ શરૂ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે સરેન્ડર માટે એક માસનો સમય આપતા સંજયની ફિલ્મોના નિર્માતાઓ રાહતનો શ્વાસ લીધો છે.

sanjay-dutt

પોલીસગિરી ફિલ્મના દિગ્દર્શક ટી. પી. અગ્રવાલે જણાવ્યું કે પોલીસગિરી ફિલ્મનું ડબિંગનો હજી કેટલોક હિસ્સો બાકી છે કે જેની ઉપર ટુંકમાં જ કામ શરૂ કરાશે. જોકે અમારે ઉતાવળ કરવાની જરૂર નથી. તેમણે એમ પણ જણાવ્યું કે સંજય દત્ત ફિલ્મનું પ્રમોશન નહીં કરી શકે.

સંજય દત્તને સુપ્રીમ કોર્ટે સરેન્ડર કરવામાંથી ચાર અઠવાડિયાની રાહત આપી હતી. અગાઉના ચુકાદા મુજબ સંજય દત્તે 18મી એપ્રિલના રોજ આત્મસમર્પણ કરવાનું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે સંજયની 6 માસની મહેતલની માંગ સામે ચાર અઠવાડિયાની મહેતલ આપી છે. તેથી સંજય દત્તે હવે આગામી 17મી મે સુધીમાં આત્મસમર્પણ કરવાનું રહેશે. હવે સંજય દત્ત બાકીની ફિલ્મોનું જલ્દીથી જલ્દી શૂટિંગ પૂર્ણ કરશે. હાલ સંજય દત્ત ઉપર બૉલીવુડના 278 કરોડ રુપિયાના પ્રોજેક્ટ દાવ ઉપર લાગેલા છે.

રાજકુમાર હીરાણીની પીકે ફિલ્મનું આઠ દિવસનું શૂટિંગ બાકી છે. ફિલ્મમાં આમિર ખાન લીડ રોલમાં છે. ઉપરાંત કરણ જૌહરની ફિલ્મ ઉંગલીમાં પણ સંજય દત્ત કામ કરી રહ્યાં છે.

English summary
Producers of Sanjay Dutt's films are relieved after Supreme Court granted the actor four weeks time to surrender to serve the remaining period of his sentence in the 1993 Mumbai blasts case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X