For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહના મોત બાદ પહેલી વાર પિતાએ તોડ્યુ મૌન, અંકિતા અને કૃતિ વિશે કર્યો ખુલાસો

નિધનના બે સપ્તાહ બાદ સુશાંતના પિતા કે કે સિંહે પોતાના દીકરા વિશે પહેલી વાર મીડિયા સાથે વાત કરી છે.

|
Google Oneindia Gujarati News

ટીવીથી બૉલિવુડની સફર કાપનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. તેમના નિધનના બે સપ્તાહ બાદ સુશાંતના પિતા કે કે સિંહે પોતાના દીકરા વિશે પહેલી વાર મીડિયા સાથે વાત કરી છે. સુશાંત સિંહના પિતાએ સોશિયલ મીડિયા પર પોતાના દીકરાની અંગત જિંદગી સાથે જોડાયેલા સવાલોનો જવાબ પણ આપ્યો છે. કે કે સિંહે સુશાંત સિંહ અને અભિનેસા અંકિતા લોખંડેના સંબંધ પર પણ મૌન તોડ્યુ છે. તેમણે જણાવ્યુ કે મુંબઈમાં અંકિતા સાથે મુલાકાત થઈ હતી અને તે એક વાર પટના પણ તેમને મળવા આવી ચૂકી છે.

દીકરાના મોત બાદ પહેલી વાર બોલ્યા પિતા

દીકરાના મોત બાદ પહેલી વાર બોલ્યા પિતા

બૉલિવુડનુ ઉભરતો સ્ટાર સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. તેમના ફેન્સ અને સ્વજનોને હજુ પણ એ વાત પર વિશ્વાસ નથી થતો. સુશાંતના નિધન બાદ અંકિતા લોખંડે પણ શોકમાં છે. સુશાંતના ગયા બાદ પહેલી વાર તેના પિતા કેકે સિંહે પોતાના દીકરી અને તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાના સંબંધ પર વાત કરી. તેમણે જણાવ્યુ કે સુશાંતની જિંદગીમાં અંકિતા જ એ એકમાત્ર છોકરી છે જેના વિશે તેમને માહિતી હતી.

પટના પણ આવી ચૂકી છે અંકિતા

પટના પણ આવી ચૂકી છે અંકિતા

તડકા બૉલિવુડ સાથે વાત કરતી વખતે કે કે સિંહ જણાવે છે કે 'સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે સાથે તેમની મુલાકાત મુંબઈમાં પણ થઈ હતી અને એ પહેલા તે પટનાવાળા ઘરમાં પણ આવી ચૂકી છે. સુશાંત અને અંકિતાના અલગ થવા વિશે તેમણે કહ્યુ, હવે આ તો સંજોગ છે, જે થવાનુ હોય તે થઈ જ જાય છે.' સુશાંતના લગ્નના સવાલ પર તેમણે જવાબ આપ્યો, 'હાલમાં જ મે મારા દીકરાને કહ્યુ હતુ કે લગ્ન કરી લે ફટાફટ. આના પર સુશાંતે જવાબ આપ્યો કે અત્યારે કોરોના છે અને એક ફિલ્મનુ શૂટિંગ પણ પૂરુ કરવાનુ છે પછી લગ્નનુ પ્લાન કરીશુ.'

સુશાંત અને અંકિતાના બ્રેકઅપ પર કરી વાત

સુશાંત અને અંકિતાના બ્રેકઅપ પર કરી વાત

નવેમ્બરમાં લગ્નની વાતો પર સવાલ પૂછવા પર તેમના પિતાએ કહ્યુ, મે આ વિશે તેને કંઈ પૂછ્યુ નહોતુ, હું બસ એટલુ ઈચ્છતો હતો કે મારો દીકરો જલ્દી સેટલ થઈ જાય. મે તેને પહેલા જ કહી દીધુ હતુ કે તેને જેની સાથે પણ લગ્ન કરવા હોય તે કરી શકે છે. તમને જણાવી દઈએ કે અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતની મુલાકાત પવિત્ર રિશ્તાના સેટ પર થઈ હતી.

સુશાંતના પિતાને મળી હતી કૃતિ સેનન

સુશાંતના પિતાને મળી હતી કૃતિ સેનન

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે જણાવ્યુ કે દીકરાના અંતિમ સંસ્કારમાં શામેલ થવા માટે શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, રણવીર શૌરી, રાજકુમાર રાવ અને ઘણા અન્ય લોકો પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની વાત અભિનેત્રી કૃતિ સેનન સાથે પણ થઈ, જો કે માસ્ક પહેરેલુ હોવાના કારણે અને દીકરાના ગુમાવ્યાના દુઃખમાં તે કૃતિને ઓળખી શક્યા નહિ. કે કે સિંહે જણાવ્યુ કે અંતિમ સંસ્કાર દરમિયાન કૃતિ સેનન તેમના ભાઈ પાસે આવી અને સુશાંત વિશે વાત કરી. સુશાંતની પ્રશંસા કરી રહી હતી કે તે ખૂબ જ પ્રેમાળ છોકરો હતો.

સેટેલાઇટ ઇમેજમાં ખુલાસો, હવે પન્ગોંગ નદી પાસે ચીને તહેનાતી વધારી

English summary
Sushant singh Rajput father KK singh talked about Ankita and Kriti first time after Sushant death
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X