આખા દેશમાં આવનારી લોકસભા ચૂંટણીની રાહ જોવાઇ રહી છે. જ્યાં રાજકીય દળો એકથી એક ચઢિયાતી રેલીઓ યોજીને પ્રચાર કરી મતદારોને લોભાવવાના પ્રયાસો કરી રહ્યાં છે, તો બીજી તરફ ફિલ્મ અને ટીવી જગત પણ મતદારોને જાગરુક કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યું છે.
ફિલ્મ નિર્દેશક મોહન પ્રસાદનું કહેવું છે કે હાસ્યથી ભરપૂર જેલુગુ ફિલ્મ ‘ક્રેજીવાલા' આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની રમૂજી નકલ છે, પરંતુ આ ફિલ્મ તેમના પર આધારિત નથી. આ ફિલ્મ દેશમાં મતદાન માટે પ્રેરિત કરવાનો એક પ્રયાસ છે.
પ્રસાદે કહ્યું કે, હું સ્વિકારું છું કે પ્રચાર સંબંધી પોસ્ટર્સમાં એમ એસ નારાયણનો ગેટઅપ કેજરીવાલ જેવો છે, પરંતુ અમારો ઉદ્દેશ્ય આપ નેતા પર ફિલ્મ બનાવવાનો નથી. આ ફિલ્મ થકી અમે લોકોને મત આપવા, પોતાના નેતા પંસદ કરવા અને પોતાનું ભાગ્ય જાતે જ બદલવા માટે પ્રેરિત કરવા પ્રયાસ કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, અમે માત્ર કેજરીવાલના ગેટ અપનો પ્રયોગ કર્યોચે. આ બધુ માત્ર કેટલીક જીજ્ઞાસા પેદા કરવા અને પાર્ટીની કેટલીક સારી વિચારધારા પર જોર આપવા માટે છે.