વડાપ્રધાન મોદીના જીવન પર બનશે ફિલ્મ, વિવેક ઓબેરોય નિભાવશે આ કિરદાર
આ સમયે બાયોપીકની ધૂમ મચી છે અને તે બોલિવૂડમાં કોઈની ને કોઈની બાયોપિક જોવા મળતી રહે છે.
આ સમયે બાયોપીકની ધૂમ મચી છે અને તે બોલિવૂડમાં કોઈની ને કોઈની બાયોપિક જોવા મળતી રહે છે. તાજેતરમાં અનુપમ ખેર સ્ટારર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની બાયોપિક ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર નું ટ્રેલર રિલીઝ થયું છે, જે ચર્ચામાં છે. હવે સમાચાર છે કે આપણા વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર પણ ફિલ્મ બની રહી છે અને તેમાં વિવેક ઓબરૉયનું નામ સામે આવી રહ્યું છે.
જી હા, સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મની શુટિંગ એક વર્ષ બાદ એટલે કે 2019 માં શરુ કરવામાં આવશે અને વડા પ્રધાન મોદીના કિરદારમાં વિવેક ઓબરૉય દેખાશે. વિવેક આ પ્રોજેક્ટને લઈને ખૂબ ઉત્સાહિત છે અને આ સમયની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર કેમ મચી છે ધમાલ, આ છે કારણ
સૂત્રોના જણાવ્યા મુજબ, દિગ્દર્શક ઉમંગ કુમાર વડા પ્રધાન મોદીની બાયોપિકને દિશામાન કરશે અને તેને ભારતના કેટલાક મોટા શહેરોમાં શૂટ કરવામાં આવશે. વિવેક ઓબેરોય લાંબા સમયથી કામ કરી રહ્યો નથી અને તે ફિલ્મોમાં પણ જોવા નથી મળતો. આવામાં આ પ્રોજેક્ટ તેમના માટે ખૂબ મોટો હશે.

મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધીજીના જીવન પર પણ એક ફિલ્મ બની હતી જે ખૂબ ચર્ચામાં રહી હતી.

સુભાષ ચંદ્ર બોઝ
સુભાષ ચંદ્ર બોઝના જીવન પર ફિલ્મ બની હતી. લોકો તેમને ખૂબ નજીકથી જાણી શક્યા.

મેરી કૉમ
મેરી કૉમની ભૂમિકામાં પ્રિયંકા ચોપરા જોવા મળી હતી અને ખુબ સારું કામ કર્યું હતું.

સચિન
માસ્ટર બ્લાસ્ટર સચિનની બાયોપિકમાં તેમના જીવનના મહત્ત્વના ભાગો બતાવામાં આવ્યા છે.

સંજૂ
સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મ સંજૂમાં રણબીર કપૂર જોવા મળ્યો હતો. ફિલ્મ ખૂબ અદભૂત હતી.

ભાગ મિલ્ખા ભાગ
ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં ફરહાન અખ્તર જોવા મળ્યો હતો. ફ્લાઇંગ સિખ મિલ્ખા સિંહના જીવન પર હતી ફિલ્મ.

મનમોહન સિંહ
તાજેતરમાં જ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના જીવન પર રજૂ કરાયેલ ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મમાં અનુપમ ખેર જોવા મળ્યા છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
