આદિપુરૂષના હનુમાન કેમ ચર્ચામાં છે? જાણો કોણ છે આ હનુમાન?
ફિલ્મ આદિપુરુષ ટીઝર રિલીઝ થતાની સાથે જ ચર્ચામાં આવી ગઈ છે. ટીઝર રિલીઝ થયા બાદ ફિલ્મ સાથે વિવાદ પણ જોડાયો છે. આ ફિલ્મમાં રામાયણની ઝલક જોવા મળી રહી છે.
મુંબઈ, 4 ઓક્ટોબર : ફિલ્મ આદિપુરુષ ટીઝર રિલીઝ થતાની સાથે જ ચર્ચામાં આવી ગઈ છે. ટીઝર રિલીઝ થયા બાદ ફિલ્મ સાથે વિવાદ પણ જોડાયો છે. આ ફિલ્મમાં રામાયણની ઝલક જોવા મળી રહી છે. જેમાં પ્રભાસ રામ અને સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળી રહ્યો છે. આ તમામ બાબતો વચ્ચે હનુમાનજીની ભૂમિકા ચર્ચામાં છે.

હનુમાન કોણ છે?
આદિપુરુષ ફિલ્મમાં હનુમાનનું પાત્ર ભજવનાર આ અભિનેતાને ચાહકો ઓળખી શક્યા નથી. જો તે તેમ છત્તા પણ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. આખરે આદિપુરુષમાં દેખાતા આ હનુમાન કોણ છે? હનુમાનની ભૂમિકા ભજવનાર આ અભિનેતાનું નામ દેવદત્ત ગજાનન નાગે છે. અત્યાર સુધી તેણે માત્ર મરાઠી ફિલ્મોમાં જ કામ કર્યું છે.

મરાઠી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે
મરાઠી ફિલ્મો ઉપરાંત દેવદત્ત ગજાનન નાગે ટીવી સિરિયલ જય મલ્હારમાં ભગવાન ખંડોબાનું પાત્ર ભજવ્યું હતું, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ સિરિયલથી જ તેમને એક નવી ઓળખ મળી છે. તમને જણાવી દઈએ કે આ પાત્ર માટે તેને વર્ષ 2015માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.
તેમની ટીવી સિરિયલો લોકોને પસંદ આવી છે
આ સિવાય તેમણે ઘણી ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. દેવદત્તે કલર્સ ચેનલની સીરિયલ વીર શિવાજીથી ટીવીમાં પ્રવેશ કર્યો હતો. તેમણે તેમાં તાનાજી માલુસરેનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય તે ફેમસ સીરિયલ લાગી તુઝસે લગનમાં પણ જોવા મળ્યા હતા. તેમની એક્ટિંગ પણ ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

આ ફિલ્મથી તેમણે બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે
ટીવી સિરિયલોમાં કામ કર્યા બાદ દેવદત્ત ફિલ્મો તરફ વળ્યા. અભિનેતાએ વર્ષ 2013માં ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ દોબારાથી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તે જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતેમાં પણ જોવા મળ્યા હતા. આ સિવાય દેવદત્તે વર્ષ 2020માં રિલીઝ થયેલી ઓમ રાઉતની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરમાં સૂર્યાજી માલુસરેનું પાત્ર પણ ભજવ્યું હતું.

આ ફિલ્મથી તેમણે બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે
ટીવી સિરિયલોમાં કામ કર્યા બાદ દેવદત્ત ફિલ્મો તરફ વળ્યા. અભિનેતાએ વર્ષ 2013માં ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ દોબારાથી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તે જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતેમાં પણ જોવા મળ્યા હતા. આ સિવાય દેવદત્તે વર્ષ 2020માં રિલીઝ થયેલી ઓમ રાઉતની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરમાં સૂર્યાજી માલુસરેનું પાત્ર પણ ભજવ્યું હતું.
આ ફિલ્મ સાથે દેવદત્તનું નામ જોડાયેલુ છે
દેવદત્તને આદિપુરુષ ફિલ્મ માટે તેમના શરીરના કારણે જ પસંદ કરવામાં આવ્યા છે. આ વાત અભિનેતાએ પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન જણાવી હતી. અભિનેતાએ કહ્યું કે તેનું ફિલ્મ સાથે ખાસ જોડાણ છે અને તેમણે પાત્ર માટે ઘણી મહેનત કરી છે. જો કે, સોશિયલ મીડિયા પર યુઝર્સ તેના પાત્રની ખૂબ ટીકા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેમને ખૂબ નબળા ગણાવી રહ્યા છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
