Pics : ‘ઘનચક્કરના પ્રમોશનમાં કોઈ કચાશ નહિં છોડાય’
મુંબઈ, 11 જૂન : ઘનચક્કર ફિલ્મના મુખ્ય અભિનેતા ઇમરાન હાશમી કહે છે કે તેમની ટીમે વિવિધ શહેરો તેમજ રિયલિટી કાર્યક્રમોમાં આ ફિલ્મના પ્રચારમાં કોઈ કચાશ નથી રાખી રહ્યાં. ફિલ્મ આગામી 28મી જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. ઘનચક્કર ફિલ્મના પ્રમોશન અંગે માહિતી આપતાં ઇમરાન હાશમીએ જણાવ્યું - હજી વધુ પણ ઘણા રિયલિટી શો છે. અમારે ઘણા બધા શહેરોનો પ્રમોશનલ પ્રવાસ કરવાનો છે.
38 વર્ષીય ઇમરાન હાશમી ડાન્સ રિયલિટી શો ઇન્ડિયાસ ડાન્સિંગ સુપરસ્ટાર એટલે કે આઈડીએસના સેટ ઉપર સોમવારે ફિલ્મનું પ્રમોશન કરવા આવ્યા હતાં. ઇમરાન સાથે ફિલ્મના અભિનેત્રી વિદ્યા બાલન પણ ઉપસ્થિત હતાં. આ પ્રસંગે આઈડીએસના જજિસ રીતેશ દેશમુખ ઉપરાંત ગીતા કપૂર તેમજ એશ્લે લોબો પણ હાજર હતાં. તમામ લોકોએ આઈડીએસના સેટ ઉપર ખૂબ ધમાલ કરી.
આવો તસવીરો સાથે જોઇએ અને જાણીએ ઘનચક્કર ફિલ્મના પ્રમોશન અંગે.
પ્રમોશનલ ટૂર્સ
ઇમરાન હાશમીએ જણાવ્યું કે ઘનચક્કર ફિલ્મના પ્રમોશન માટે તેઓ અને ફિલ્મની ટીમ 8થી 10 શહેરોની પ્રમોશનલ ટૂર ઉપર છે. તેમણે જણાવ્યું કે અમે પ્રચારમાં કોઈ કચાશ છોડવા નથી માંગતાં.
28મીએ રિલીઝ
ઘનચક્કર ફિલ્મ આગામી 28મી જૂનના રોજ રિલીઝ થવાની છે.
રોમાંચક વિદ્યા
રોમાંચથી ભરપૂર ફિલ્મ ઘનચક્કરમાં વિદ્યા બાલન પણ રોમાંચક છે. તેઓ ઇમરાનના પત્ની બન્યાં છે.
ઇંતેજાર કરો
વિદ્યાએ જણાવ્યું કે ફિલ્મમાં કયો રોમાંચ છે, તે જાણવા માટે 28મી જૂન સુધીનો ઇંતેજાર કરવો જ રહ્યો.
ડીઆઈડીમાં પણ ધૂમ
વિદ્યા અગાઉ આ ફિલ્મના પ્રમોશન માટે ડાન્સ ઇન્ડિયા ડાન્સ સુપરમૉમ્સમાં પણ ગયા હતાં અને ખૂબ ધમાલ મચાવી હતી.
રીતેશ પણ ખુશ
ઘનચક્કર ફિલ્મની ટીમ આઈડીએસ પહોંચતાં, આઈડીએસના જજિસ રીતેશ દેશમુખ, ગીતા કપૂર તથા એશ્લે લોબો પણ ખુશખુશાલ જણાતા હતાં.