જાણીતા અભિનેત્રી ઝોહરા સહેગલનું નિધન, આજે અંતિમ સંસ્કાર
નવી દિલ્હી, 11 જુલાઇ: બૉલીવુડની જાણીતી અભિનેત્રી ઝોહરા સહેગલનું ગુરુવારે દિલ્હીની એક હોસ્પિટલમાં હૃદયના હુમલાના કારણે નિધન થઇ ગયું છે. તેમની ઉંમર 102 વર્ષની હતી. ઝોહરાએ ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનું ઝોહર દેખાડ્યું હતું. ઝોહરા પોતાના જિંદાદિલી માટે ખૂબ જ જાણીતા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે શુક્રવારે દિલ્હીના લોધી રોડ પર બનેલા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.
ઝોહરાની છેલ્લી હિન્દી ફિલ્મ 2007માં સંજય લીલા ભણસાલીની 'સાંવરિયા' હતી. તેમણે અમિતાભ બચ્ચનની સાથે 'ચીની કમ' અને 'કભી ખુશી કભી ગમ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત 'વીર-ઝારા' અને 'હમ દિલ દે ચૂકે સનમ' જેવી ફિલ્મોમાં પણ દેખાયા હતા.
એપ્રિલ 1912ના રોજ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં જન્મેલા ઝોહરા સહેગલે પોતાનું કરિયર કોરિયોગ્રાફરના રૂપમાં શરૂ કર્યું હતું. તેઓ હંમેશાથી થિયેટરને પોતાનો પ્રથમ પ્રેમ માનતા હતા. ત્યાંથી જ તેમણે અભિનયની શરૂઆત કરી હતી. ઝોહરાએ પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટરમાં લગભગ 14 વર્ષ સુધી કામ કર્યું.
ઝોહરા સહેગલ સતત કામ કરતા રહેવાને તેમના લાંબા આયુષ્યનું રાજ ગણાવતા હતા. તેમણે 'ચીની કમ'માં અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકા નિભાવી હતી. વર્ષ 2012માં જ્યારે ઝોહરા સહેગલે 100 વર્ષ પૂરા કર્યા હતા ત્યારે અમિતાભ બચ્ચને તેમને '100 વર્ષની બાળકી' કહ્યા હતા.
ઝોહરા કહેતા હતા કે તેમની લાંબી ઉંમરનું રાજ લાંબા સમય સુધી સક્રિય રહેવું હતું. ઝોહરા સહેગલ કહેતા હતા કે જો આપ નિષ્ક્રિય થઇને ઘરે બેસી ગયા તો સમજી લો કે આપ ખતમ થઇ ગયા. ઝોહરાને 1998માં પદ્મશ્રી અને 2010માં પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

હૃદયના હુમલાના કારણે નિધન
બૉલીવુડની જાણીતી અભિનેત્રી ઝોહરા સહેગલનું ગુરુવારે દિલ્હીની એક હોસ્પિટલમાં હૃદયના હુમલાના કારણે નિધન થઇ ગયું છે. તેમની ઉંમર 102 વર્ષની હતી. ઝોહરાએ ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનું ઝોહર દેખાડ્યું હતું. ઝોહરા પોતાના જિંદાદિલી માટે ખૂબ જ જાણીતા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે શુક્રવારે દિલ્હીના લોધી રોડ પર બનેલા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.

છેલ્લી યાદગાર ફિલ્મો
ઝોહરાની છેલ્લી હિન્દી ફિલ્મ 2007માં સંજય લીલા ભણસાલીની 'સાંવરિયા' હતી. તેમણે અમિતાભ બચ્ચનની સાથે 'ચીની કમ' અને 'કભી ખુશી કભી ગમ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત 'વીર-ઝારા' અને 'હમ દિલ દે ચૂકે સનમ' જેવી ફિલ્મોમાં પણ દેખાયા હતા.

કરિયર કોરિયોગ્રાફરના રૂપમાં શરૂ કર્યું
એપ્રિલ 1912ના રોજ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં જન્મેલા ઝોહરા સહગલે પોતાનું કરિયર કોરિયોગ્રાફરના રૂપમાં શરૂ કર્યું હતું. તેઓ હંમેશાથી થિયેટરને પોતાનો પ્રથમ પ્રેમ માનતા હતા. ત્યાંથી જ તેમણે અભિનયની શરૂઆત કરી હતી. ઝોહરાએ પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટરમાં લગભગ 14 વર્ષ સુધી કામ કર્યું.

અમિતાભે તેમને '100 વર્ષની બાળકી' કહ્યા હતા
ઝોહરા સહગલ સતત કામ કરતા રહેવાને તેમના લાંબા આયુષ્યનું રાજ ગણાવતા હતા. તેમણે 'ચીની કમ'માં અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકા નિભાવી હતી. વર્ષ 2012માં જ્યારે ઝોહરા સહગલે 100 વર્ષ પૂરા કર્યા હતા ત્યારે અમિતાભ બચ્ચને તેમને '100 વર્ષની બાળકી' કહ્યા હતા.

તેમના લાંબા આયુષ્યનું રાજ
ઝોહરા કહેતા હતા કે તેમની લાંબી ઉંમરનું રાજ લાંબા સમય સુધી સક્રિય રહેવું હતું. ઝોહરા સહેગલ કહેતા હતા કે જો આપ નિષ્ક્રિય થઇને ઘરે બેસી ગયા તો સમજી લો કે આપ ખતમ થઇ ગયા. ઝોહરાને 1998માં પદ્મશ્રી અને 2010માં પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
|
વડાપ્રધાને કર્યું ટ્વિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝોહરા સહેગલના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને તેમને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી









Click it and Unblock the Notifications
