મહારાણા પ્રતાપના અકબરને ગંભીર બીમારી, હવે અરિશ કરશે રોલ
મુંબઈ, 17 ઑક્ટોબર : આજકાલ સોની પર એક રીયલ હીરો શો ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપની ટીઆરપી ઘણી હાઈ છે, પણ શોમાં કિશોરવયના અકબરનો રોલ કરતાં અભિનેતા સાહિલ દેશમુખની હાલત સારી નથી. તેને લિમ્ફૉઇડ લ્યુકેમિયા નામની બીમારી થઈ ગઈ છે કે જેથી સાહિલે શો છોડી દીધો છે. સાહિલના સ્થાને અરિશ ભિવંડીવાલાને સાઇન કરવામાં આવ્યો છે. અરિશ હૃતિક રોશન અભિનીત અગ્નિપથ ફિલ્મમાં બાળક વિજય ચૌહાનની ભૂમિકા ભજવીહતી.
સાહિલ દેશમુખ વિશે તેની માતા રેશ્મા દેશમુખે મીડિયાને જણાવ્યું - સાહિલને લિમ્ફૉઇડ લ્યુકેમિયા નામની બીમારી થઈ છે. તેથી તેને કાર્યક્રમ વચ્ચે છોડવો પડ્યો. સાહિલ બહુ નિરાશ છે. સાહિલ ઘણા વખતથી અસ્વસ્થ હતો, પણ ગત 11મી ઑક્ટોબરે તેના પરિવારને જાણ થઈ કે તે એક ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો.રેશ્માએ જણાવ્યું - સાહિલ થોડાક વખતથી બીમાર હતો. તે સાજો થયો, પણ અચાનક તેને તાવ આવી ગયો અને તેને હૉસ્પિટલે દાખવ કરવો પડ્યો. તબીબોએ અસ્થિ-મજ્જા પ્રત્યારોપણની સલાહ આપી અને પછી આ બીમારી અંગે જાણ થઈ. 16 વર્ષીય સાહિલને મુંબઈની અંધેરી ખાતે આવેલી હોલી સ્પિરિટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર






Click it and Unblock the Notifications
