કોરોનાના કારણે ઑફ એર થવા જઈ રહ્યો છે ‘કપિલ શર્મા'નો શો
સોની ટીવીના જાણીતા શો ધ કપિલ શર્મા પણ ઑફ એર થવા જઈ રહ્યો છે.
ભારતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ભારતમાં કોવિડ-19 પૉઝિટીવ કેસની સંખ્યા વધીને 1637 થઈ ચૂકી છે અને મૃતકોની સંખ્યા 38 સુધી પહોંચી ગઈ છે. દેશણાં 21 દિવસનુ લૉકડાઉન છે. એક તરફ આના કારણે દેશની રાષ્ટ્રીય ચેનલ પર રામાયણ અને મહાભારત જેવી શોને પુનઃ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ ઘણા બધા ડેલી સોપ અત્યારે પોતાના જૂના એપિસોડ પ્રસારિત કરી રહ્યા છે કારણકે અત્યારે શૂટિંગ બંધ છે.
ઑફ એર થશે કપિલ શર્માનો શો
આ કારણે સોની ટીવીના જાણીતા શો ધ કપિલ શર્મા પણ ઑફ એર થવા જઈ રહ્યા છે કારણકે કોરોના વાયરસના કારણે ફિલ્મસિટીમાં શૂટિંગ નથી ચાલી રહ્યુ. એટલા માટે કપિલની ટીમે ડિસાઈડ કર્યુ છે કે લૉકડાઉનના પીરિયડમાં આ શો ઑફ એર રહેશે અને શોના અત્યાર સુધીના અમુક લોકપ્રિય શોને નિર્ધારિત સમયે પ્રસારિત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કપિલ શર્માએ કોરોના વાયરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી રાહત કોષમાં 50 લાખ રૂપિયાની રકમ પણ આપી છે.
શોના લોકપ્રિય એપિસોડ બતાવામાં આવશે
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને ફેલાતો રોકવા મૈટે લગાવવામાં આવેલ દેશવ્યાપ લૉકડાઉનનો આજે 8મો દિવસ છે. દેશભરમાં લકડાઉન લાગુ કરવા માટે કડકાઈ વર્તવામાં આવી રહી છે. વળી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે કોરોના સામે લડાઈમાં જો કોઈ હેલ્થ સેન્ટરના કર્મીનો જીવ ગયો તો તેના પરિવારને દિલ્લી સરકાર 1-1 કરોડ રૂપિયાની રકમ આપશે. આ એલાન સફાઈ કર્મચારી, ડૉક્ટર અને નર્સ માટે હતુ.
એક-એક કરોડ રૂપિયા આપશે
એલજી સાથે થયેલી બેઠક બાદ દિલ્લીના સીએમ કેજરીવાલે મોટુ એલાન કર્યુ. તેમણે કહ્યુ કે કોરોના સામે લડાઈમાં સહયોગ કરી રહેલા કર્મચારીનુ દિલ્લી સરકાર પૂરુ ધ્યાન રાખશે. તેમણે એલાન કર્યુ કે આ લડાઈમાં શહીદ થવા પર કર્મચારીના પરિવારને એક-એક કરોડ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ કોરોના સામે જંગમાં શહીદ થયેલ વૉરિયર્સના પરિવારને આપશે 1 કરોડઃ કેજરીવાલ