31 ડિસેમ્બર બાદ રૂ.500-1000ની જૂની નોટ રાખનારને 10 હજારનો દંડ
31 ડિસેમ્બર બાદ રૂ.500 અને 1000ની જૂની નોટ રાખનારને ઓછામાં ઓછો રૂપિયા 10,000 નો દંડ ભરવાનો રહેશે.
નોટબંધી બાદ બેંકમાં જૂની નોટો જમા કરાવવાની સમયમર્યાદા 30 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઇ રહી છે, આ પછી રૂ.500 અને 1000ની જૂની નોટો રાખનારને ઓછામાં ઓછો રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર વટહુકમ પણ બહાર પાડશે, જે સ્વીકૃતિ માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. જૂની નોટો રાખનાર માટે જેલની સજાની કોઇ જોગવાઇ કરવામાં નથી આી, પરંતુ ઓછામાં ઓછો 10 હજારનો દંડ ચોક્કસ ભરવાનો રહેશે.

વધુમાં વધુ 10 નોટ રાખી શકાશે
નવા આદેશ અનુસાર 500 અને 1000 રૂપિયાની જૂની નોટોની લેવડ-દેવડ પર પ્રતિબંધ છે, સાથે જ તમે માત્ર દસ જૂની નોટો જ સાથે રાખી શકશો. કેન્દ્ર સરકારે જે નવો વટહુકમ બહાર પાડ્યો છે એનું નામ છે ધ સ્પેસિફાઇડ બેંક નોટ્સ ઓફ લાયાબિલિટિઝ ઑર્ડિનેંસ, જેને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે અનુસાર 30 ડિસેમ્બર પછી જૂની નોટો માત્ર RBI માં જ જમા કરાવી શકાશે, પરંતુ આ માટે તમારે યોગ્ય કારણ રજૂ કરવાનું રહેશે.
જૂની નોટો જમા કરવાની સમયમર્યાદા પૂરી થયા બાદ જૂની નોટો રાખનારને ઓછામાં ઓછો દસ હજારનો દંડ ફટકારવામાં આવશે, આ અંગે કેન્દ્ર સરકાર વટહુકમ બહાર પાડવા જઇ રહી છે.
અહીં વાંચો - 500 ની નવી નોટ બની મુસીબત, જરૂર જાણો આ વાતો
નોટબંધીના નિર્ણય બાદ આનો વિરોધ કરનારાઓને નાણામંત્રી અરુણ જેટલીએ જવાબ આપતાં કહ્યું છે કે, 19 ડિસેમ્બર સુધી ડાયરેક્ટ ટેક્સમાં 14.4 ટકા વધારો થયો છે અને ઇનડાયરેક્ટ ટેક્સમાં 26.2 ટકા, કેન્દ્રિય ઉત્પાદ શુલ્કમાં 43.3 ટકા, કસ્ટમમાં 6 ટકા અને મ્યુચ્યુઅલમાં 11 ટકાનો વધારો નોંધાયો છે. આ સિવાય કૃષિ ક્ષેત્રે પણ વધારો નોંધાયો છે, ગયા વર્ષની સરખામણીએ શિયાળુ અનાજની ખેતીમાં 6.3 ટકાનો વધારો થયો છે. સાથે જ લાઇફ ઇન્સ્યોરન્સ, પેટ્રોલિયમની વપરાશમાં પણ વધારો થયો છે અને પર્યટનને પણ પ્રોત્સાહન મળ્યું છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
