500 ની નવી નોટ બની મુસીબત, જરૂર જાણો આ વાતો
રૂ. 500ની નવી નોટ નવી મુસીબત લઇને આવી છે. નોટ ભીની થઇ જતાં તેની પરથી મહાત્મા ગાંધીનો ફોટો ગાયબ થઇ જાય છે અને આથી પછી લોકો આ નોટ સ્વીકારવાની ના પાડે છે.
સામાન્ય જનતા માટે નવી ચલણી નોટો નવી મુસીબતો લઇને આવી છે. રૂ. 2000ની નોટ પરથી રંગ નીકળવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. થોડા વખત પહેલાં જ દિલ્હીના નિવાસી અમરિંદર નામના વ્યક્તિએ આ અંગે જાણકારી આપી હતી અને બેંકનો સંપર્ક પણ કર્યો હતો. હવે રૂ.500ની નોટનો કિસ્સો સામે આવ્યો છે. પંજાબના મોહાલીના બલૌંગીમાં રહેતો એક પરિવાર 500ની નવી નોટને કારણે હેરાનગતિ ભોગવી રહ્યો છે. આ પરિવારના લોકોને સમજાતું નથી હવે કરવું તો શું કરવું?

બલૌંગી નિવાસી રાધા પાસે રૂ.500ની જે નવી નોટો હતી, એના પરથી ગાંધીજીની તસવીર ગાયબ થઇ ગઇ છે અને નોટ પરથી મહાત્મા ગાંધીની તસવીર ગાયબ થયા બાદ કોઇ એ નોટ લેવા તૈયાર નથી. આથી આ પરિવારને હવે સમજાતું નથી કે આ નોટોનું શું કરવું. મીડિયાના રિપોર્ટ અનુસાર રાધા પોતાના પરિવાર સાથે એક લગ્ન માટે હિમાચલ ગઇ હતી. ત્યાં વરસાદમાં તેની પાસેની ચલણી નોટો ભીની થઇ જતાં તેણે એ નોટો સુકવવાનો પ્રયત્ન કર્યો. નોટ સુકાયા બાદ જોયું તો એના પરથી મહાત્મા ગાંધીની તસવીર જ ગાયબ હતી! રાધાએ આ નોટો બેંકમાંથી કાઢી હતી, જેથી તે હિમાચલમાંથી ખરીદી કરી શકે. પરંતુ કોઇ દુકાનદાર આ નોટ લેવા તૈયાર ન થયો.
અહીં વાંચો - અરુણ જેટલીએ સમજાવ્યો કેશલેસનો મતલબ
આથી હેરાન થઇને આખરે રાધા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ફરિયાદ લખવાનું વિચારી રહી છે, જેથી તે આ નોટો બદલી શકે. તેણે જણાવ્યું કે, નોટો પરથી ગાંધીજીની તસવીર ગાયબ થઇ જતાં તેને ઘરે પાછા ફરવામાં પણ ઘણી તકલીફ પડી હતી. આથી તે બને એટલી જલ્દી આ નોટ અંગે બેંક અને આરબીઆઇને સંપર્ક કરવાનું વિચારી રહી છે.
નોંધનીય છે કે, નવી નોટો પરથી રંગ ઉડવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી છે, જે પછી આરબીઆઇએ એવું નિવેદન પણ જાહેર કર્યું હતું કે, જો નોટ પરથી રંગ નીકળે તો સમજવું કે તે અસલી છે.
બીજી એક વાત એ ધ્યાનમાં રાખજો, કે જો તમને નોટ પર કંઇ પણ લખવાની આદત હોય, તો આ આદત બને એટલી જલ્દી બદલી નાંખવી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે, જો નવી ચલણી નોટો
પર કંઇ પણ લખેલું હશે તો બેંક એ નોટ નહીં સ્વીકારે.
અહીં વાંચો - પીએમ મોદીની ક્રિસમસ ગિફ્ટ, ડિજિટલ પેમેંટ કરો, 1 કરોડ જીતો
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
