Rath Yatra 2024: રાજ્યમાં રથયાત્રાના દિવસે થયું 10000 2-વ્હીલર અને 2500 કારનું વેચાણ

Rath Yatra 2024: રવિવારના રોજ અષાઢી બીજના દિવસે યોજાયેલી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નિમિત્તે શહેરમાં 3,600 જેટલા ટુ-વ્હીલર અને 1,100 કારનું વેચાણ થયું હતું.

વાહન ડીલરોના અંદાજ મુજબ, રાજ્યમાં લગભગ 10,000 ટુ-વ્હીલર અને 2,500થી વધુ કાર વેચાઈ છે. જોકે, કેટલાક વાહનો નંબર પ્લેટ વગર વેચાયા હતા, જે વાહનવ્યવહાર વિભાગના નિયમો મુજબ ફરજિયાત છે.

વાહનવ્યવહાર વિભાગના નવા નિયમો અનુસાર, તહેવાર સહિત કોઈપણ શુભ અવસર પર નવું વાહન નીકળવું હોય, તો વાહનનું રજિસ્ટ્રેશન અગાઉથી જ કરાવવું જોઈએ, જેથી ડીલર પહેલાથી જ ફીટ કરેલી નંબર પ્લેટ સાથે સમયસર વાહનની ડિલિવરી કરી શકે.

Rath Yatra 2024

ઉલ્લેખનીય છે કે, વાહન ડીલર્સ પાસેથી જાણવા મળ્યું છે કે, કેટલાક નવા વાહનો છેલ્લી ઘડીના ગ્રાહકોને નંબર પ્લેટ વગર વેચવામાં આવ્યા હતા.

વેચાયેલા નવા વાહનોને હવે CNA ફોર્મ ભરીને પસંદગીના નંબરની યાદીમાં મૂકવામાં આવશે, ખરીદદારોને તેમનો પસંદ કરેલા નંબર મેળવવા માટે 60 દિવસનો સમય આપવામાં આવશે.

રવિવારે અમદાવાદમાં 80,000 થી 1.50 લાખની કિંમતના 3,500 થી વધુ નવા ટુ-વ્હીલર અને 50 લાખથી ઓછી કિંમતની 1,100 થી વધુ નવી કારનું વેચાણ થયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X