દિવ્યાંગો માટે દેશનુ પહેલુ ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશન અમદાવાદમાં શરૂ, ચા-નાસ્તાની પણ કરાઈ વ્યવસ્થા
દિવ્યાંગો માટે દેશમાં પહેલી વાર ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશન શરૂ થયુ છે.
અમદાવાદઃ દિવ્યાંગો માટે દેશમાં પહેલી વાર ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશન શરૂ થયુ છે. જેમાં પહેલા દિવસે 342 દિવ્યાંગોને રસી લગાવવામાં આવી. આ ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશન વસ્ત્રાપુર સ્થિત અંધજન મંડળ(બ્લાઈંડ પીપલ એસોસિએશન-બીપીએ)એ રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા(એએમસી) સાથે મળીને શરૂ કરી છે. બીપીએના નિર્દેશક ભૂષણ પુનાનીએ આ અંગે માહિતી આપી. બીપીએના નિર્દેશક ભૂષણ પુનાનીએ કહ્યુ કે દિવ્યાંગજનોના રસીકરણ માટે ડ્રાઈવ થ્રૂ અને વૉક થ્રૂ વેક્સીનેશન શિબિર બીપીએ પરિસરમાં પહેલી વાર શનિવારે યોજવામાં આવ્યુ હતુ.
પુનાનીએ દાવો કર્યો કે દેશમાં પહેલી વાર અમદાવાદમાં જ દિવ્યાંગો માટે ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશન કરવામાં આવ્યુ તે પણ નિઃશુલ્ક. તેમણે કહ્યુ કે જેમને રસી લગાવાઈ તેમની ઘટના સ્થળે જ રજિસ્ટ્રેશનની સુવિધા પણ કરવામાં આવી. જેના કારણે 18 વર્ષથી વધુ વયના દિવ્યાંગજનને રસી લેવામાં ઘણી સરળતા થઈ. ખાસ વાત એ છે કે દિવ્યાંગજનોને ચા-નાસ્તો પણ કરાવવામાં આવ્યો. તેમને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી.
ગુજરાતમાં અત્યાર સુધી 2 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા
વળી, આરોગ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યુ કે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સીનનો 2,05,67,167 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. એક આરોગ્ય અધિકારીએ જણાવ્યુ કે રાજ્યમાં કોરોના સુરક્ષા કવચ તરીકે રવિવારના દિવસે 234551 લોકોને વેક્સીન આપવામાં આવી. જેમાંથી અમદાવાદ જિલ્લાના 38945 હતા. આ સાથે જ કોરોનાના પહેલા અને બીજા ડોઝની કુલ સંખ્યા 20264893 (2 કરોડથી વધુ) પહોંચી ગઈ.
ભૂષણ પુનાનીએ કહ્યુ કે અત્યાર સુધી ત્રીજા તબક્કા (18થી 45 વર્ષ સુધી) ને 38 લાખથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ગુજરાત હેલ્થ બુલેટીન મુજબ રાજ્યમાં 18 વર્ષથી 45 વર્ષના 173344 લોકોને પહેલો ડોઝ અને 10612 લોકોને બીજો ડોઝ રવિવારના દિવસે આપવામાં આવ્યો. આ તબક્કામાં કુલ 3776176 ને પહેલા તેમજ 69846ને બીજો ડોઝ આપવામાં આવ્યો.