અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલભાઈ બારોટનુ નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ્લભાઈ બારોટનુ આજે દુઃખદ નિધન થયુ છે.
અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ્લભાઈ બારોટનુ આજે દુઃખદ નિધન થયુ છે. તેઓ અમદાવાદના જાણીતા વકીલ તેમજ ભાજપના નેતા હતા. વળી, તેમણે 8 ફેબ્રઆરી, 1991થી લઈને 8 ફેબ્રુઆરી, 1992 સુધી અમદાવાદના મેયર તરીકે ફરજ નિભાવી હતી. તેમના નિધન પર પીએમ મોદી, સીએમ વિજય રૂપાણી સહિત ઘણા નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને લખ્યુ કે અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલ્લભાઈ બારોટના અવસાનથી દુઃખી છુ. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેમનુ યોગદાન એમની યાદ અપાવતુ રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકો સાથે છે. ઓમ શાંતિ..!
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રફુલભાઈ બારોટના નિધન પર દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી છે. સીએમ વિજય રૂપાણી લખ્યુ, 'અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભઈ બારોટના નિધનથી ખૂબ જ દુઃખની લાગણી અનુભવુ છુ. અમદાવાદની વિકાસયાત્રામાં તેમનુ યોગદાન સ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને ચિર શાંતિ બક્ષે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના, ઓમ શાંતિ..'
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે પણ પૂર્વ મેયર પ્રફુલ બારોટના અવસાનના સમાચાર મળતા ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યુ કે, 'અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઈ બારોટજીના અવસાનથી અત્યંત દુઃખની લાગણી અનુભવુ છુ. અમદાવાદના વિકાસ માટે તેમણે કરેલા કાર્યોને ક્યારેલ ભૂલી શકાશે નહિ. ઈશ્વર તેમના દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ.'
અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકોની સાથે છે. ઓમ શાંતિ..!
— Narendra Modi (@narendramodi) August 22, 2020
અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના નિધનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદની વિકાસયાત્રામાં એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે.
— Vijay Rupani (@vijayrupanibjp) August 22, 2020
પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ બક્ષે અને પરીવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના...
ઓમ શાંતી...
અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટજીનાં અવસાનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદનાં વિકાસ માટે એમણે કરેલા કાર્યો ક્યારેય ભૂલાશે નહીં. ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના. ઓમ શાંતિ.
— C R Paatil (@CRPaatil) August 22, 2020
સુશાંતની બૉડી જોવા પહોંચેલી રિયાએ તેની છાતી પર હાથ રાખી કહ્યુ, Sorry Babu