પાટણ અને બનાસકાંઠાના 15 ગામોનું પુનર્વસન કરવામાં આવશે
બનાસકાંઠામાં ચાલુ વર્ષ આવેલા પૂરના કારણે ઘણા ગામડાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ માટે રાજ્ય સરકારે તેનુ પુનર્વસન કરવામાં આવશે તેવું જણાવ્યું. આ અંગે વધુ વાંચો અહીં..
રાજ્યમાં બનાસકાંઠા અને પાટણમાં પૂરના પાણી ભરાવાથી ગામડાઓમાં નુકસાન થાયુ છે તો તેવા બનાસકાંઠા અને પાટણના 15 ગામોનું પુનર્વસન કરવામાં આવશે. ગુજરાતમાં ઓગસ્ટમાં પડેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠા અને પાટણમાં પૂરના પાણીને કારણે તારાજી સર્જાઈ હતી. જેના લીધે લાખો રૂપિયાનું જાનમાલનું નુકશાન થયું હતું. આવી જ પરિસ્થિતિનું નિર્માણ 2015માં પણ થયું હતું. એટલે આવા 15 ગામોની પસંદગી કરીને તેનું પુનર્વસન કરવામાં આવશે. જેના માટે સરકારે સેદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા અને પાટણમાં પૂરના લીધે થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતમાં રાજ્ય કક્ષાની સમિતિ રચાઈ છે જેમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવનો સમાવેશ થાય છે. તેમજ જિલ્લા કક્ષાની સમિતિમાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી પાટણ અને શ્રમ અને રોજગાર મંત્રીના અધ્યક્ષ સ્થાને રચાઈ છે. જિલ્લા કક્ષાની સમિતિ ગામોમાં જઈને લોકો સાથે સંપર્ક કરીને તેમને માનાવાનો પ્રયત્ન કરશે અને 75 જેટલા ગામના લોકો રાજી થશે તો નવા ગામની રચના કરવમાં આવશે. નવા ગામ માટેની પસંદગી ગામ લોકો જ કરશે. આ સમગ્ર પ્રક્રિયા બાદ રાજ્ય કક્ષાની સમિતિ નિર્ણય લેશે. જેમાં કેન્દ્ર રાજ્ય સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાનો પણ સહયોગ લેવામાં આવશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
