કચ્છમાંથી મળી આવી 5000 વર્ષ જુની વાવ
આ સાઇટ અંગે જાણીએ તો તેની લંબાઇ 73.4 મીટર છે, તેની પહોળાઇ 29.3 મીટર અને તેની ઉંડાઇ 10 મીટરની આસપાસ છે. આ અંગે એએસઆઇના નિષ્ણાંત વીએન પ્રભાકરે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, કચ્છમાંથી જે વાવ મળી આવી છે તે મોહન્જોદળોના ગ્રેટ બાથ કરતા મોટી છે. તેનું ડિસેમ્બરમાં સ્પોટ એનાલિસીસ કરવામાં આવશે. વિવિધ સર્વેમાં આ વાત પણ જાણવા મળી છેકે, ધોળાવીરા ખાતે બીજી કેટલીક વાવ પણ જમીનમાં દટાયેલી છે. તેમણે શંકા વ્યક્ત કરી હતી કે, એક મોટુ સરોવર અને એક પુરાણી શોર લાઇન પણ અહીં દટાયેલી હોઇ શકે છે.
આગામી સમયમાં થ્રીડી લેન્સર સ્કેનર, રિમોટ સેન્સિંગ ટેક્નોલોજી અને રડા સિસ્ટમનો ઉપયોગ કરીને તપાસ કરવામાં આવશે. આ બાબતો અંગે પણ અભ્યાસ કરવામાં આવશે કે કઇ રીતે પાણી કુવામાં જતુ હતુ અને વોટર કન્વર્ઝેશનનો વિચાર શું હતો. હડપ્પન કાળના અનેક અવશેષો અહીં છૂપાયેલા હોવાનું બહાર આવી શકે છે. એ યુગમાં કાર્નેલીયન જેવા કિંમતી પથ્થરોની વિશેષ માગ હતી અને ગુજરાત મણકો તથા હસ્તકળા ઉત્પાદનના ઉદ્યોગનું કેન્દ્ર હતુ. આ કિંમતી પથ્થરમાળા પણ ઘણી પ્રચલિત હોવાનું જાણવા મળ્યું છે.